SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે साी सिरजनहार तूं, तूं पावन तूं पाक, तूं कायम करतार तूं, तूं हरि हाज़िर आप, रमता राजिक अंक तूं, तूं सारंग सुबहान, कादिर करता अक तूं, तूं साहिब सूलतान, अविगत अल्लाह अक तूं, ग़नी गुसाीं अक, अजब अनूपम आप है, दादू नांव अनेक. આને અર્થ સ્પષ્ટ છે. આ બાબતમાં ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહના શબ્દો પણ ધ્યાનમાં લેવા જેવા છે. શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક કબીર સાહેબના અંતિમ દિવસોમાં થઈ ગયા. કબીર અને દાદુ પેઠે જ ગુરુ નાનકના શિષ્યમાં પણ હિન્દુ મુસલમાન બંને હતા. ગુરુ નાનક ખુદ કબીર સાહેબના ભારે પ્રેમી હતા. શીખોના ધર્મગ્રંથ આદિ ગ્રંથમાં શીખ ગુરુઓની વાણુ સાથે કબીર સાહેબ અને કેટલાય બીજા મુસલમાન સંત અને ફકીરોની વાણું ભરેલી છે. શીખ ધર્મ જે રીતે શરૂ થયે તે પરથી જણાય છે કે તે હિંદુ-મુસ્લિમ વચ્ચે મેળ કરવાને ધર્મ હતો. ગુરુ અર્જુનને જ્યારે અમૃતસરના ગુરુદ્વારાને પાયે નાખવાને માટે કઈ ઈશ્વરભક્તની જરૂર પડી ત્યારે તેમણે પ્રખ્યાત મુસલમાન ફકીર સાંઈ મિયાં મીરને આ કામ માટે પસંદ કર્યા. ગુરુદ્વારાને પાયે સાંઈ મિયાં મીરને હાથે નાખવામાં આવ્યું છે. ગુરુ નાનકે પિતાના જમાનાના હિન્દુ અને મુસલમાનોની મૂર્ખતા પર દુઃખી થઈને કહ્યું છેઃ न हम हिन्दू न मूसलमान, दोनों बीच बसै शैतान; तग्ग न हिन्दू पाअिया, तग न मूसलमान. दावा राम रहीम कर, लड़दे बेीमान.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy