SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન ગીતા કહે છે? તે તું તત્ત્વને જાણનારા જ્ઞાનીઓની સેવા કરીને અને નમ્રતાપૂર્વક વિવેકથી ફરીફરી પ્રશ્નો કરીને જાણજે. તેઓ તારી જિજ્ઞાસા તૃપ્ત કરશે” (૪,૩૪). કુરાનમાં કહેવાયું છેઃ તે માનવીના બતાવેલ માર્ગે ચાલે કે જે મારી ભણી આવે છે” (લુકમાન-૧૫). મૌલાના રૂમે લખ્યું છેઃ "हर के स्वाहद हमनशीनी बा खुदा अ नशीनद दर हुजूरे औलिया" “જે કઈ પ્રભુની પાસે બેસવાની ઈચ્છા કરે છે તેને માટે એ જરૂરી છે કે તેણે ઈશ્વરના ભક્તોની સન્મુખ બેસવું.” સૂફી પુસ્તકમાં “ગુરુને માટે મુરશિદ અથવા રહબર શબ્દ છે. એ જ પ્રમાણે બધા ગ્રંથમાં ગુરુની આવશ્યકતા અને ગુરુને માનવાની વાત ઉપર ભાર મુકાયે છે. ઘણાંખરાં પુસ્તકમાં ગુરુનું વર્ણન કરતાં કહેવાયું છે કે તે સ્થિતપ્રજ્ઞ હોવો જોઈએ. મહંમદ સાહેબે પૂર્ણ ગુરુને પરિચય આપતાં એક સ્થળે કહ્યું છેઃ “જ્યારે તેનું દર્શન થાય છે ત્યારે પ્રભુ યાદ આવે છે.” હિંદુસ્તાનના કબીર તથા અન્ય સંત મહાત્માઓની બાનીમાં પણ સાચા ગુરુની આવશ્યકતા, એમની મહત્તા તથા એમના ઉપદેશાનુસાર વર્તન રાખવાનું ઠેર ઠેર કહેવાયું છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy