SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ દુનિયાના સર્વ ધર્મો એક છે “હર્ષથી વધીએ નહીં અને શોકથી ઘટીએ નહીં. અમારી હિંમત પાસે સુખ કે દુઃખ જે આવે તે મહેમાનની માફક આવતાં જતાં રહે.” મનુષ્ય જેમ જેમ પિતાની ઈદ્રિય ઉપર કાબૂ મેળવતે જાય છે, જેમ જેમ એનું મન શાંત થતું જાય છે, અને એની બુદ્ધિ સ્થિર થતી જાય છે તેમ તેમ તે પિતાને જાણવા તથા ઓળખવા લાગે છે. તેની સાથે સાથે તેનું આત્મબળ વધતું જાય છે અને તે ઈશ્વરની નિકટ પહોંચતે જાય છે. ગીતા ભાખે છેઃ જે પિતાને ઓળખે છે, જેણે કામ ક્રોધ જીત્યા છે, જેણે મનને વશ કર્યું છે, એવા યતિઓને સર્વત્ર બ્રહ્મનિર્વાણુ જ છે” (૫, ૨૬ ). મહંમદ પયગંબર સાહેબે ફરમાવ્યું છેઃ જેણે પોતાની જાતને ઓળખી લીધી તેણે અલ્લાહને નીરખી લીધા.” શતપથબ્રાહ્મણમાં યાજ્ઞવક્ય જનકને ઉપદેશતાં કહે છેઃ પોતાના આત્માને ઓળખો, એથી સર્વ વાતનું રહસ્ય સમજાશે. જીવનના કોયડાને ઉકેલવા માટે પોતાના આત્માને પારખી લેવો એ મોટામાં મોટું સાધન છે.” મૌલાના રૂમે ગાયું છેઃ "हर के नफ़्से खेश रा दीदो शनाख्त __ अन्दर अिस्तकमाले खुद दो अस्पा ताख्त." જે કોઈએ પિતાની જાતને પારખી લીધી તે ત્યાર બાદ પૂર્ણ બનવાની દિશામાં તીવ્ર ગતિએ દેડે છે.”
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy