SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે કુરાનમાં પણ ઠેકઠેકાણે દરેક કર્મ “ વીgિ ” (બકરહ ૧૫૪ અને ૨૬૧; બરાઅત–૬૦) એટલે કે પ્રભુને માર્ગ અથવા ઈશ્વરને માટે કરવાનું કહ્યું છે. ગીતા ભાખે છેઃ તું જે કાંઈ કરે, જે કાંઈ ખાય, જે યજ્ઞ કરે, જે તપ કરે, તે સર્વ ઈશ્વરને માટે કર” (૯, ૨૭). કુરાન ઉપદેશે છેઃ (હે પયગંબર!) નિવેદન કરે કે મારી નિમાજ, મારાં પૂજાપાઠ, મારું જીવન અને મારું મરણ તે સર્વ તે અલ્લાહને માટે છે જે સકળ બ્રહ્માંડને પાલક છે” (અનઆમ–૧૬૩). “અલ કૌલુલ જમીલ” નામના પંકાયેલા અરબી ગ્રંથમાં ઉલ્લેખ છે : અલ્લાહના માર્ગે ચાલનારે માણસ વાંચતાં, બેલતાં, ખાતાં, પીતાં, ચાલતાં, ફરતાં સર્વ અવસ્થાઓમાં પિતાનું અંતર અલ્લાહ તરફ રાખતો રહે છે.” ગીતા અને કુરાન બનેને આદેશ છે કે મનુષ્ય હર્ષ-શોક, સુખ-દુખ, જય-પરાજય, સફળતા-નિષ્ફળતા, અને સ્વકર્મોનાં પરિણામે એ સર્વ વાતેમાં નિર્મોહ થઈને કર્મને કર્મ સમજી પ્રવૃત્ત રહે. ગીતામાં આને નિષ્કામ કર્મ અને કુરાનમાં આને “ઈખલાસ”નું નામ અપાયું છે. ગીતા પ્રબોધે છેઃ “કર્મને વિષે જ તને અધિકાર છે, તેમાંથી નીપજતાં અનેક ફળને વિષે કદી નહીં. કર્મનું ફળ તારે હેતુ ન હજો.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy