SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ગીતા અને કુરાન કે વહદતુલવજૂદનો અર્થ એ છે કે આ સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે અથવા અસ્તિત્વ ધરાવે છે તે મૂળ રૂપે ઈશ્વર જ છે, ઈશ્વર સિવાય અન્ય કોઈ છે નહીં. આથી ઊલટું આપણે જે કાંઈ જોઈએ છીએ તે ભ્રમ-માયા-જાળ છે. આ જ વિચારને હિન્દુ વિદ્વાને “સરું ' (હું બ્રહ્મ છું) અને “સર્વ રવિંદ્ર દ્રા' (આ સર્વ બ્રહ્મમય છે) તથા મુસ્લિમ સૂફી સન ” (હું ઈશ્વર છું) અને “ઢમાં ” (સર્વ ઈશ્વરરૂપ છે) દર્શાવે છે. આથી વિરુદ્ધ દ્વૈત(વહદતુશુહૂદ)ને અર્થ એ છે કે ઈશ્વરનું અસ્તિત્વ અલગ છે અને ઈતર સર્વ ચીજો આ સૃષ્ટિમાં જોઈએ છીએ તેની હયાતી જુદી છે. આ સર્વ સરજાયું છે પ્રભુથી પણ તે સર્વ ઈશ્વરથી ભિન્ન છે. આ વિચારને મુસલમાન પંડિતે “હૃમાં યોસ્ત” “સર્વ વસ્તુ ઈશ્વરથી ઉત્પન્ન થઈ છે એ રીતે દર્શાવે છે. હિંદુઓમાં તથા મુસલમાનોમાં આ બન્ને વિચારસરણીના પંડિત મળી આવે છે. એક ખાસ વાત એ જાણવા મળે છે કે તમત તથા અદ્વૈતમતવાદી હિંદુઓ જે રીતે ગીતાને આધાર લઈ પિતપોતાનો મત પ્રતિપાદિત કરવા મથે છે તે જ રીતે મુસલમાન પંડિતે પણ કુરાનમાંથી પોતાના દૈત-અદ્વૈત મતની પુષ્ટિ પામવા પ્રયત્ન કરતા હોય છે. અમે આની તાત્વિક ચર્ચામાં ઊતરવા માગતા નથી. અમે તે એટલું જ બતાવવા ઈચ્છીએ છીએ કે આવી સૂક્ષ્મ વાતમાં ગીતાની તથા કુરાનની સ્થિતિ એકસરખી છે, એટલે કે બંનેના વાચકો પોતાની સમજશક્તિ પ્રમાણે પિતાને ફાવત અર્થ ઘટાવી લે છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy