SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન ગીતા તથા કુરાનની વાત કરીશું. આપણા દેશમાં આ બે ધર્મોના જ માનવાવાળા મોટી સંખ્યામાં રહે છે. ગીતા ક્યારે ને કેવી રીતે લખાઈ તથા હિંદુ ધર્મના ગ્રંથમાં ગીતાનું સ્થાન ક્યાં છે તે ગીતાના વિવરણમાં દર્શાવીશું. તેવી જ રીતે કુરાન ક્યારે, કેવી રીતે, અને ક્યા સંજોગોમાં પ્રાપ્ત થયું તથા તેને પ્રભાવ જનતા ઉપર કે પડ્યો એ સર્વ કુરાનના વિવેચન સમયે દાખવીશું. ગીતા એ હિંદુ ધર્મને ખાસ ગ્રંથ છે તથા ધર્મને તે નિચોડ ગણાય છે એ વાત સુવિદિત છે. એ જ પ્રમાણે કુરાન પણ ઈસ્લામનો સર્વથી શ્રેષ્ઠ ગ્રંથ અને તેને આધાર છે. દુનિયાના આ બંને પવિત્ર ગ્રંને સાથે રાખીને સદ્ભાવપૂર્વક વાંચવામાં આવે તે સ્પષ્ટપણે જણાઈ આવશે કે આ બંનેના ઉપદેશ તથા મૂળભૂત સિદ્ધાંતે એકસરખાં છે. કેટલાંક દષ્ટાંત અમે આગળ જતાં ટાંકીશું. ભારતવર્ષમાં ગીતાને તથા અરબ દેશમાં કુરાનને ઉપદેશ જે સંજોગોમાં આપવામાં આવ્યું હતું તે એકબીજાને મળતા આવે છે. આર્યાવર્તમાં કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું, લડનારા એક જ કુટુંબના હતા તથા એક જ દાદાના પૌત્ર હતા. એ લડાઈમાં બંને પક્ષેમાં એકમેકના ભાઈ, મામા, કાકા, સાળા, બનેવી, સસરા વગેરે સગા હતા. એ જ પ્રમાણે કુરાનમાં મુસલમાન તથા ગેરમુસલમાન વચ્ચેની લડાઈની જે વાત આવે છે તે અરબ દેશના એક જ મોટા તથા પ્રસિદ્ધ કુરેશ કુટુંબનાં સંતાનોની છે. “કુરેશ” અને “કુરુ” એ બંનેમાં માત્ર શાબ્દિક નહીં
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy