SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ છે . ગીતા અને કુરાન અને છેવટના ન્યાયદિન કે જ્યારે પિતાનાં કર્મફળો ભેગવવાં પડશે તેના ઉપર વિશ્વાસ રાખતા નથી”(૨૨૬૩, ૨૬૪ ). “હે શ્રદ્ધાળુઓ ! પોતાની સાચી કમાઈના શુદ્ધ ભાગમાંથી દાન આપે – એવી વસ્તુઓમાંથી કે જે ઈશ્વરે તમને જમીનમાંથી ઉત્પન્ન કરી દીધી છે; તમે ફરી ફરી દાન કરી શકે તે હેતુથી તમે હરામની કમાઈ તરફ દષ્ટિ ન દોડાવે.... (૨-૨૬૭). જે તમે જાહેર રીતે દાન કરી શકે તે સારું છે પણ જો તમે ગુપ્ત રીતે ગરીબોને દાન આપો તે તે વધારે સારું છે; આમ કરવાથી તમારાં બૂરાં કાર્યો એ સરતાં જાય છે; તમે જે કરે છે તેની જાણ ઈશ્વરને છે” (૨–૨૭૧). ઈશ્વર વ્યાજખોરોને બરક્ત નથી આપતો . . .” (૨–૭૬). “હે શ્રદ્ધાળુઓ - ભક્તો ! વ્યાજ ન લે, ધન ઉપર ધન ન વધારે, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે જેથી તમારું ભલું થાય” (૩–૧ર૯). કાઈને જ કરવો ખરાબ છે, ઈશ્વર તમને આ બૂરાઈથી બચા”(૧૧૩-૫). જે વસ્તુ તમને વહાલી છે તેમાંથી તમે ઉદાર હાથે દાન નહીં કરે ત્યાં સુધી તમે પોતાનું શ્રેય સાધી શકતા નથી. જે દાન આપે છે તે ઈશ્વરની જાણમાં છે” (૩–૯૧). “જેઓ અમીરીમાં ને ગરીબીમાં બન્ને દશાઓમાં છૂટે હાથે દાન દે છે, ક્રોધને વશમાં રાખે છે તથા બીજાઓના ગુનાઓને માફ કરી દે છે તેવાઓ માટે સ્વર્ગ સરજાયું છે. ઈશ્વર તેને જ ચાહે છે જે બીજાનું ભલું કરે છે” (૩–૧૩૩).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy