SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદે ઈશ્વર એમ નથી કહેતા કે જેઓ ગેરમુસલમાન તમારા ધર્મને કારણે તમારી સાથે લડાઈ નથી કરતા તથા જેમાં તમને તમારા ઘરમાંથી બહાર નથી હાંકી કાઢ્યા તેમની સાથે તમે પ્રેમભર્યું વર્તન ન રાખે. ખરેખર ઈશ્વર તેને ચાહે છે કે જે સૌની સાથે ન્યાયથી વર્તે છે. ઈશ્વરની આજ્ઞા એટલી જ છે કે જે લે એ તમારા ધર્મને કારણે તમારી સાથે લડાઈ શરૂ કરી છે તથા તમને બળજબરીથી તમારા ઘરમાંથી બહાર હાંકી મેલ્યા છે અથવા તમને બહાર કરવામાં બીજાઓને મદદ કરી છે તેમની સાથે મળી ન જાશે અને જે આવા સાથે મળી જાય છે તે જુલમ કરે છે.” (૬૦–૮, ૯) “જે લોકોએ તમારી (મહંમદ સાહેબની) વાત માની લીધી છે તેમને કહે કે તેઓ એ લેકને માફ કરે જેમને છે અને જે લોકો વિશ્વાસ રાખશે તથા ધર્મકાર્ય કરશે તો અમે તેનાં પાછલાં ખરાબ કર્મોને “ઢાંકી દઈશું” એટલે કે માફ કરીશું”...(૨૯૭) અહીં પણ “”અર્થ ઢાંકી દેવું, ભૂલી જવું કે માફ કરવું છે. આ શબ્દ ઈશ્વરને માટે વપરાયે છે. કયાંક કયાંક એવા મનુષ્યોના મોઢામાં આ શબ્દ મુકાયો છે કે જેઓ મહંમદ સાહેબ કે બીજા રસૂલની વાત માનતા ન હતા. જે કાંઈ તમે (રસૂલે) કહે છે. તેને અમે માનતા નથી” (૩૪-૩૪). એક ઠેકાણે એવાઓને માટે એ શબ્દ વપરાય છે કે જેઓ અમુક રસૂલને માનતા હતા ને અમુકને માનતા ન હતા. (૪–૧૫૦,૫૧). એક ઠેકાણે કુરાનમાં “કાફિર” શબ્દ ખેડૂતના અર્થમાં વપરાયે છે (૫૭-૨૦). સામાન્ય રીતે કાફિર” રાખ કુરાનમાં એ આરબ માટે વપરાય છે કે જેઓ મહંમદ સાહેબને માનતા ન હતા અથવા જે ઈશ્વરની ઉપાવસ્તુઓની અવલના કરતા હતા.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy