SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ ૧૭૫ અને ઈશ્વરે પયગંબરે એટલા માટે દુનિયામાં પાઠવ્યા કે તેઓ ભલા કામનાં ફળ મીઠાં મળશે તે શુભ સંદેશ જગતને સુણાવે તથા બૂરાં કામનાં ફળ મીઠાં મળશે તેની ચેતવણી આપે. આને કારણે જે સાચી વાત સમજી લે અને સકર્મો કરે તેને નથી રહેતે ભય કે શોક” (૬–૪૮). “અને ખરેખર તમારા પહેલાં પણ ઈશ્વરે પયગંબરે પાઠવ્યા છે; આમાંના કેટલાકે ઉલ્લેખ તમારી પાસે કર્યો અને કેટલાકેન નથી કર્યો” (૪૦–૭૮). “જેમણે ધર્મને પીંખી નાખ્યો છે અને જેઓ પિતપિતાના સંપ્રદાયે તથા વાડાઓ બનાવી બેસી ગયા છે તેમની સાથે તમારે કઈ સંબંધ નથી; ઈશ્વર જ તેને નિકાલ કરશે, તે જ તેમને દાખવશે કે તેમણે શું કર્યું છે” (૬-૧૬૦). આ કુરાન સત્ય છે, પિતાની પહેલાના ધર્મગ્રંથને એ સાચા ઠરાવે છે” (૨–૯૭). “ઈશ્વરે પિતાની પાસેના જ્ઞાનમાંથી જે કાંઈ તમને (મહંમદ સાહેબને) આપ્યું તે ઈશ્વરી પ્રેરણું દ્વારા આપ્યું. તે જ સાચું જ્ઞાન છે જે પહેલાંના ધર્મગ્રંથેના જ્ઞાનને પુરવાર કરે છે ”*(૩૫-૩૧). “મહંમદ સત્ય લઈને આવ્યા છે અને તેમણે પિતાની પહેલાંને પયગંબરોની સાખ પૂરી છે” (૩૭-૩૭). “અને તમને (મહંમદ સાહેબને) એવી કઈ વાત નથી કહેવાઈ કે જે તમારા પહેલાંના ધર્મપ્રવર્તકને ન કહેવાઈ હોય” (૪૧-૪૩). * જે રીતે કુરાનમાં કુરાન પહેલાંના ધર્મોને “ઇસલામ” અને તેના અનુયાયીઓને “મુસલમાન” કહેવાયા છે તે રીતે કુરાનમાં કુરાનની પહેલાંના ધર્મગ્રંથને “કુરાન' નામ અપાયું છે, અને જેઓએ આ ઈશ્વરી જ્ઞાનથી ભરેલ ચંને જુદા જુદા કરી ઈશ્વરી જ્ઞાનના ભાગલા પાડ્યા તેમને “મુક્ત સેમીન” એટલે કે “ભેદ પાડનાર ” કહેવાયા છે. (૧૫-૯૦, ૯૧)
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy