SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન દાખવે કે જેથી સૌનું કલ્યાણ થાય. તે નિયમ કે સિદ્ધાંત સદાચારના અથવા સદ્દગુણના માન્ય સિદ્ધાંતે છે જેને દુનિયાના સર્વ ધર્મોએ તથા તેને સ્થાપિત કરનારાઓએ તથા ચલાવનારાઓએ આરંભથી આજ સુધી એકસ આગ્રહ રાખે છે. મનુષ્યજીવનને આ સીધાસાદા મૂળભૂત સિદ્ધાંત ઉપર ચલાવવા માટે સૌ ધર્મોએ જેને આશ્રય લીધે છે તે શ્રેષ્ઠ પ્રકાર એવો છે કે જેથી એક ઈશ્વરમાં, ખુદામાં, અથવા “ગેડ”માં શ્રદ્ધા રહે. આટલા બધા મોટા આ સંસારને, બ્રહ્માંડનો ચલાવનાર કોઈ ને કોઈ જરૂર છે, કઈને કઈ એવી મહાન શક્તિ છે જેની સાથે આપણે સંબંધ છે અને જેના ભણું આપણે સૌ જઈ રહ્યાં છીએ. જે રીતે આ પૃથ્વીની તથા તેનાથીયે દૂર દૂર સુધીની બધી ગરમી તથા રેશની આ સૂર્યમાંથી નીકળે છે તેવી જ રીતે આપણા પ્રાણને, આપણી સર્વ ચેતનશક્તિઓને, આપણા આત્મામાં ભરેલી અદ્દભુત શક્તિને પણ ક્યાંક ને ક્યાંક કઈ ભંડાર છે જ્યાંથી તે સર્વ નીકળે છે. આપણા પોતાના આત્માની લઘુતા, અશક્તિ તથા પરતંત્રતા જ આપણને તે પરમ આત્માના અખૂટ સામર્થ્યની જાણ કરાવે છે. સર્વ ધર્મોએ એ સ્વીકાર્યું છે કે ઈશ્વર – અલ્લાહ માનવની ટૂંકી બુદ્ધિ તથા સમજણથી કેટલાયે ઊંચે તથા દૂર છે. સાથે સાથે દરેક ધર્મના ગીઓ, સૂફીએ, સંત, વલીઓ, ઋષિઓ તથા નબીઓ (દ્રષ્ટાઓ) વગેરેએ આ માટીની કાયા તથા ટૂંકી બુદ્ધિની હદ વટાવીને પેલા અનહદની તથા અનંતની
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy