SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાસાર મુસલમાનોને વૈશ્ય અને દીનબંધુ એંડૂઝ, મૌલાના અબુલ કલામ જેવા હજારો બિનહિંદુઓને બ્રાહ્મણ કહેવા પડશે. મા તે એ કમે એ દર્શનશાસ્ત્રની માન્યતા પ્રમાણે તે સમયમાં બે વિચારધારાઓનું જોર હતું. “કર્મ ”માં માનવાવાળાએ કર્મકાંડ તથા વિધિવિધાનના પાલનમાં મુક્તિ માનતા હતા, બીજાઓ હતા “સાંખ્ય” મતવાળા, કે જેઓ સંસારથી દૂર રહી સંન્યાસ દ્વારા મુક્તિ પામવાની ઈચ્છા રાખતા હતા. ગીતાએ આ બંને મતેના બાહ્ય આચારોને વ્યર્થ ગણાવ્યા છે અને આ બંનેની વિશેષતાઓને સમન્વય સાધ્યું છે તથા બંનેની એકતા સાધી છે. (૫, ૪, ૫) ગીતામાં કહ્યું છે, “અગ્નિનો કે કિયામાત્રને ત્યાગ કરનારે સાચે સંન્યાસી નથી તેમ જ જે સ્વાર્થમાં લપટાય છે તથા બાહ્યાચારોને દાસ બની ગયે છે તે સાચા કર્મયોગી નથી. જે સ્વાર્થને વેગળ મૂકે છે, જે ઢંઢથી પર છે, જે કઈને દ્વેષ કરતો નથી, જે સંસારનાં સર્વ આવશ્યક કર્મો ફલેને આશ્રય લીધા વિના કરે છે તે સાચે સંન્યાસી છે અને તે જ કર્મયોગી છે.” (૫, ૩, ૬, ૧) ગીતા જેને સાચો ધર્મ કહે છે અને જેનું સ્મરણ વારેઘડીએ કરાવે છે તે ધર્મ આ છે – બધે સમત્વ જાળવી દઢ બનીને ઈદ્રિને વશમાં રાખીને (૧૨, ૪), નિર્કન્ધ થઈને સુખદુઃખ, લાભાલાભની પરવા ન કરીને (૨, ૩૮) સકળનું કલ્યાણ વાંછીને (૩, ૨૫), કેઈથી દ્વેષ કે વેર ન રાખીને (૧૧,૫૫), લેકકલ્યાણમાં ચિત્ત પરેવીને (૫, ૨૫, ૧૨, )
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy