SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ગીતાસાર ગીતા આવા રિવાજેથી ઊંચે સ્તરે મનુષ્યને લઈ જાય છે. આવી રીતના વહેમને ગીતા અજ્ઞાન કહે છે (૨, ૪૨ થી ૪૪). કર્મકાંડ લોકોને ત્રણ ગુણોમાં બાંધે છે અને ગીતા આવી બંધનમુક્તિનો માર્ગ બતાવે છે. જ્ઞાની માટે વેદ નકામા છે જેવી રીતે કે એને ઠેકાણે ફે કે જેની ચારે કોર પાણી જ પાણી હોય (૨, ૪૫, ૪૬). વેદોના આવા શિક્ષણથી મનુષ્યની મતિ ફરી જાય છે (૨, પ૩). જે પુરુષ આ સંસારમાં કર્તવ્યકર્મ કરવા ચાહે છે તેને વેદોની આવશ્યકતા નથી રહેતી (૬, ૪૪).– “વેદોથી, યજ્ઞોથી, જપતપથી અને આવાં વિધિવિધાનોથી મનુષ્ય ઈશ્વરદર્શન કરી શકતું નથી” (૧૧, ૪૮, પ૩). સાચે યજ્ઞ કર્યો અને સાચું તપ કર્યું તે ગીતાએ બતાવ્યું છે. ચોથા અધ્યાયમાં જુદા જુદા યજ્ઞોનું વર્ણન કર્યા પછી કહેવામાં આવ્યું છે કે યજ્ઞની ભાવનાથી નિઃસ્વાર્થભાવે ફલેચ્છાને ત્યાગ કરીને, લોકકલ્યાણ માટે, દ્વેષરહિત થઈને ઈશ્વરને અર્પણ કરીને જે કર્મ થાય છે તે જ “યજ્ઞ” છે. સૌથી ચઢિયાતે યજ્ઞ તે “જ્ઞાનયજ્ઞ” છે કે જે વડે મનુષ્ય પોતામાં સર્વને અને સૌને ઈશ્વરમાં જુએ છે” (૪, ૩૫). આ જ્ઞાન કરતાં ચઢિયાતું આત્માને શુદ્ધ કરનારું બીજું આ સંસારમાં કાંઈ નથી (૪, ૩૮). એ જ રીતે ગીતા બ્રહ્મચર્ય, અહિંસાને શારીરિક તપ, દુખ ન દે એવાં સત્ય, પ્રિય, હિતકર વચનને વાચિક તપ, આત્મસંયમ, મનની પ્રસન્નતા તથા ભાવનાશુદ્ધિને માનસિક તપ કહે છે. આમ તપના ત્રણ પ્રકારે ગીતાએ પ્રબોધ્યા છે (૧૭, ૧૪–૧૬). ગી.-૧૦
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy