SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન બાહ્ય નિયમોને અપનાવનાર એક પરમેશ્વર જ છે. સૌ રૂપે તેનાં જ રૂપ છે, પણ તેમને માર્ગ સાચું નથી. તે લકે પરમેશ્વરને પિછાણતા નથી એટલે નીચે પડે છે. જે જે રૂપને ભજે છે તે તે રૂપને પામે છે; દેવદેવીને માનનાર દેવદેવીને, પિતૃઓને પૂજનાર પિતાને, મનુષ્યને માનનાર મનુષ્યને અને એક ઈશ્વરને ભજનાર એક ઈશ્વરને પામે છે. ફૂલ, પત્ર, ફળ, જળ, જે ચીજ પરમેશ્વરને શ્રદ્ધાભક્તિપૂર્વક અર્પય તેને પ્રેમપૂર્વક સ્વીકાર થાય છે. તે માટે यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ।। હે તય ! જે કરે, જે ખાય, જે હવનમાં હમે, જે તું દાનમાં છે, જે તપ કરે તે બધું મને અપીને કરજે” (-૨૭). પરમેશ્વરને પામવાને આ જ રસ્તો છે. એ પરમેશ્વરને કે જે સર્વ પ્રાણીમાત્રમાં એકસરખે વ્યાપે છે, જેની કોઈની સાથે શત્રુતા નથી, ન કોઈને જેને મોહ છે. જે માનવી આવી રીતના સર્વવ્યાપી સાથે એકતા જોડે છે તે પરમેશ્વરને પામે છે. તે પરમેશ્વરમય બને છે અને તેમાં પરમેશ્વર રહે છે” (૯૨૩થી૬૯, ૩૪). આને સાર એ છે કે જુદા જુદા સંપ્રદાય, વિધિવિધાનો, રીતરિવાજે એક ઈશ્વરનાં જ રૂપ છે. મનુષ્યના ઈષ્ટદેવે પણ તેનાં જ રૂપ છે. આ દષ્ટિએ જોતાં આ સઘળા માર્ગો સાચા છે, પણ આ બધા અપૂર્ણ છે. સમજદારને ધર્મ છે કે તે આ સૌ અધર માર્ગોને છેડી દઈને એક જ પરમેશ્વરની પૂજા કરે કે જે સૌમાં છે, જે સૌને પ્રાણ છે. મનુષ્ય પોતામાંથી દૈતભાવને કાઢી નાંખીને, રાગદ્વેષરહિત
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy