SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગીતા અને કુરાન “અભ્યાસથી અને વૈરાગ્યથી તે વશ કરી શકાય (૬–૩૫). જેનું મન પિતાને વશ નથી તેને યોગસાધના બહુ કઠિન છે (૬-૩૬); બાહ્ય નિયમો આમાં મદદરૂપ નથી નીવડતા; યોગની ઈચછા જેનામાં ઉત્પન્ન થઈ છે. તે સકામ વૈદિક કર્મ કરનારની સ્થિતિને ઓળંગી જાય છે,” (૬-૪૪). અને જે આ દિશામાં સાચો પ્રયત્ન કરે છે પછી ભલેને એનું મન ડગી જાય અથવા પૂર્ણ સફળતા એને ન મળી શકે તો પણ એને પ્રયત્ન અફળ નથી જત અને એની દુર્ગતિ નથી થતી. ભવિષ્યમાં તે પ્રગતિ જ કરે છે. તપ, જ્ઞાન અને કર્મકાંડ કરતાં આ માર્ગ ચડિયાત છે.” (૬-૩૭ થી ૪૬) સાતમે અધ્યાય જેઓ પરમેશ્વરને મેળવવા ચાહે છે તેમને માટે સાતમા અધ્યાયમાં કહેવાયું છે કે તે સર્વ સ્થળે ને સર્વ વસ્તુઓમાં વ્યાપેલે છે. એક ઈશ્વર અને અનેક દેવદેવીઓમાંનો તફાવત દર્શાવાયે છે; અને એક જ ઈશ્વરનું ધ્યાન ધરવા ઉપર ભાર મૂકવામાં આવ્યું છેઃ “પરમેશ્વરની બે પ્રકૃતિએ છે–પરા તથા અપરા. આ બંનેમાંથી આ સૃષ્ટિ ઉભવી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંભાવ આ આઠ ઈશ્વરની અપરા (સ્થલ) પ્રકૃતિ છે અને આ સર્વ જેને આધારે નભી રહ્યું છે તે ઈશ્વરની પરા પ્રકૃતિ છે, ઈશ્વર જ સૌને જન્માવનાર તથા મારનાર છે. આ સંસાર ઈશ્વરમાં પરોવાયેલું છે જેમ માળાના મણકાઓ દોરામાં. પાણીમાં રસ, સૂર્યચંદ્રમાં તેજ, વેદમાં છે, આકાશમાં શબ્દ, પુરુષોમાં પરાક્રમ, પૃથ્વીમાં સુગંધ, અગ્નિમાં તેજ,
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy