SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મ ૧૧૧ જેના વશમાં છે તેની બુદ્ધિ સ્થિર છે. વિષયનું ચિંતવન કરનાર પુરુષને તેમને વિષે આસક્તિ ઉત્પન્ન થાય છે. અને આસક્તિમાંથી કામ થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે. મૂઢતામાંથી ભાન ભુલાય છે અને ભાન જવાથી જ્ઞાનને નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે મૂએલા સમાન છે. પણ જેનું મન પિતાના કાબૂમાં છે અને જેની ઈન્દ્રિય રાગદ્વેષરહિત હાઈ તેને વશ વર્તે છે, તે મનુષ્ય ઈન્દ્રિયોને વ્યાપાર ચલાવતે છતા ચિત્તની પ્રસન્નતા મેળવે છે. ચિત્ત પ્રસન્નતાથી આનાં બધાં દુઃખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાય છે. જેને સમત્વ નથી તેને વિવેક નથી, તેને ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. અને જયાં શાંતિ નથી ત્યાં સુખ કયાંથી હોય ? વિષયોમાં ભટકતી ઈન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું મન વાયુ જેમ નૌકાને પાણીમાં તાણું લઈ જાય છે તેમ તેની બુદ્ધિને ગમે ત્યાં તાણી લઈ જાય છે. તેથી હે મહાબાહે! જેની ઈન્દ્રિ ચોમેર વિષયોમાંથી નીકળીને પિતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જ્યારે સર્વ પ્રાણી સૂતાં હોય છે ત્યારે સંયમી જગતે હોય છે, જ્યારે લેક જાગતા હોય છે ત્યારે જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે. નદીઓના પ્રવેશથી ભરાત છતાં સમુદ્ર જેમ અચળ રહે તેમ જે મનુષ્ય વિષે સંસારના ભોગે શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય. બધી કામનાઓને છેડી જે પુરુષ ઈચછા, મમતા તથા અહંકારરહિત થઈ વિચારે છે તે જ શાંતિ પામે છે. હે પાર્થ ! ઈશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે, તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે તો તે બ્રહ્મનિર્વાણ પામે છે”(૨-૫૫ થી ૭૨).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy