SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ગીતા અને કુરાન ધર્મપ્રાણ ફૂંકાયેલું હોય, રહેણીકરણમાં અને રીતરિવાજોમાં દરેક માનવનું સ્થાન સરખું હોય અને જેના કાયદાકાનને વાડાબંધી તથા કુસંપને ટકાવનારાં કે અતૂટ રાખવાનાં સાધન ન બને, એવા જીવનની જરૂર છે કે જેની ઈમારત પરસ્પર પ્રેમના તથા સહાયતાના ઊંડા તથા મજબૂત પાયા ઉપર રચાયેલી હોય. આપણને એવા ધાર્મિક ચોકઠાની આવશ્યકતા છે કે જે આપણને એક જાત, એક ન્યાત, એક કુટુંબના જીવનપ્રદ બીબામાં ઢાળી દે. આપણે નવો ધર્મ એ આજકાલના સંપ્રદાયની માફક એકબીજામાં અતડાપણું, ઘેણું અને તિરસ્કાર ફેલાવનાર ન હૈ જોઈએ. આપણે સૌને ભગવાન આવા અધર્મને આપણા દિલમાંથી તથા કામોમાંથી અળગો કરે. આપણો ધર્મ માનવતાન, ત્યાગને તથા પ્રેમને હોય. આ જ ધર્મ છે કે જેને સર્વ અવતારી પુરુષોએ, સંતાએ, સાધુફકીરે એ સાચે માનવધર્મ કહ્યો છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ગીતા અને કુરાન પિતાના વાચકોમાં એવી શુદ્ધ સમજણ, હિંમત તથા શક્તિ ઉત્પન્ન કરે કે જેથી તેઓ આ પવિત્ર પુસ્તકોના ઉપદેશનું આચરણ કરી શકે એટલે કે આજકાલનાં સામાજિક બંધને કે જે આપણને બરબાદ કરી રહ્યાં છે તેમાંથી મુક્ત થઈ શકે અને નવી રીતનું સમન્વયકારી જીવન, સંસ્કૃતિના અને માનવધર્મના બીબામાં એવી રીતે ઢાળી દે કે જેથી એક વાર ફરીથી આ દેશમાં પ્રેમસરિતા વહેવા લાગે. આ વિના આપણે માટે માનવસેવાને અથવા આપણી મુક્તિને બીજો માર્ગ નથી.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy