SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કરણાભાવના ૭૯ યોગનાં યમાદિ અંગોમાં પણ સ્વ- પર કરુણા રહેલી છે, શ્રાવકધર્મ અને યતિધર્મ બંનેમાં અહિંસા રૂપે કરુણાભાવનાનું પ્રાધાન્ય છે. ઉપરની વિચારણા પરથી એ નિષ્કર્ષ પર આવી શકાય કે કરુણાભાવના એ સમગ્ર જિનવચનનો સાર છે. ૨૧. કરુણાભાવનાથી થતા આધ્યાત્મિક લાભો : કરુણાભાવનાના નિરંતર અભ્યાસથી પોતાના સંક્લેશ દૂર થાય છે, બીજાઓનાં દુઃખનું નિવારક નિર્મળ બળ પ્રાપ્ત થાય છે અને પરોપકાર માટેનું સહજ સત્ત્વ વિકસે છે. કરુણાભાવનાથી સ્વાર્થવૃત્તિ, પોતાનાં જ દુઃખની ચિંતારૂપ મોહ, સંકુચિતતા, તિરસ્કાર, અહંકાર, પરદુઃખની ઉપેક્ષા વગેરે ચિત્તમલો નાશ પામે છે, તેથી નિર્મલ બનેલું ચિત્ત સદ્ધોધનું ભોજન બને છે. એમ આ ભાવનાથી પાપનો ક્ષય અને પુણ્યનું ઉપાર્જન થાય છે. પૂર્વે આપણે જોયું કે જિનપ્રવચન એ કરુણામય છે. એવા કરુણામય પ્રવચનમાં રહસ્યો સમજવાં હોય તો હૃદયમાં કરુણાભાવ નિરંતર રમવી જ જોઈએ. કરૂણાથી રહિત એવું હૃદય પરમકારુણિક એવા શ્રી જિનેશ્વરભગવંતને અને તેમનાં પ્રવચનને શી રીતે સમજી શકે? જે હનગુણ આત્માઓ પ્રત્યે કરુણાને ધારણ કરે છે, તેના પર અધિકગુણ આત્માઓની કરુણા કુદરતી રીતે વરસે છે. આ કરુણા સાધકનું અધિકગુણવાળા આત્માઓની સાથે મિલન કરાવી આપે છે, જેથી સાધકમાં નવા નવા ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. જે બીજાના દુઃખને દૂર કરવાના ઉપાયોને વિચારે છે, તે પરિણામે વિકાર વિનાનું (અવ્યાબાધ) સુખ પામે છે. | સર્વ ભવ્યજીવો કરુણા ભાવનાના અભ્યાસની પરાકાષ્ઠાને પામીને કરુણાસિંધુ' પદવીને વરે, એ જ શુભેચ્છા.
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy