SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગવલ્લે વથા મૂઢ ! સનાતે મને ! मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ॥७४॥ : અર્થ : હે મૂઢ જીવ! જેમ તું સ્ત્રીના વિલાસમાં મન રાખે છે, તેમ મંત્રી વગેરે ભાવનાઓમાં રાખવું અને તારા આત્માનું હિત કર. .: વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રમુખ વિષય છે સ્ત્રી ! આ વિશ્વમાં અનાદિકાળથી “સ્ત્રી' એવો આકર્ષક વિષય રહેલો છે કે પુરુષ, અજ્ઞાની પુરુષ એના પ્રત્યે આકર્ષાયેલો રહે છે. જો કે પુરુષમાં રહેલું પુરુષવેદ' નામનું મોહનીય કર્મ જ એને સ્ત્રી તરફ ઉશ્કેરે છે, મોહિત કરે છે અને એના મન-વચન-કાયાને વાસનાથી રંગી દે છે. એવી જ સ્થિતિ પુરુષ પ્રત્યે સ્ત્રીની હોય છે. સ્ત્રીમાં રહેલું ‘સ્ત્રીવેદી નામનું મોહનીય કર્મ સ્ત્રીને પુરુષ તરફ આકર્ષે છે ને મોહિત કરે છે. સ્ત્રી, પુરુષવાસનાથી રંગાઈ જાય છે. ગ્રંથકાર કહે છે : સ્ત્રીના વિવિધ વિલાસોમાં તારા મનને ન જોડ. તારું મન મૂલ્યવાન છે. એનો સદુપયોગ કર. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ-આ ચાર ભાવનાઓમાં મનને જોડ. મનમાં આ ભાવનાઓની રમણતા કર. - બીજા જીવોના હિતનો વિચાર કર. - બીજા જીવોનું સુખ જોઈને રાજી થા. - બીજા જીવોના દુઃખોને દૂર કરવાનો વિચાર કર. - બીજા જીવોના અપરિહાર્ય દોષોની ઉપેક્ષા કર. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - जैसे ललना-ललितमें भाव थरत है सार, तैसे मैत्री प्रमुख में, चित्त धरी कर सुविचार. ગ્રંથકારે મનને વિષયોથી મુક્ત રાખવા માટે મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન કરવાનો, શ્રેષ્ઠ ઉપાય સૂચવ્યો છે. શાશતક (KAKAR ૭પ
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy