SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર – ૧ : ૭૯ : પ્રકારે હોય. સાવધ વ્યાપાર તે સાંસારિક કથલો છે; ઘર, કુટુંબ અને આરંભપરિગ્રહની રામાયણરૂપ છે. એનાથી સાધુ ભગવંતો સર્વથા ફારેગ થયેલા છે. એટલે ષકાય જીવના સંહારમય કે પરિગ્રહાદિના મોહ-મૂઢતામય હિંસાદિ પાપ વ્યાપારો હવે નથી તો એમને સ્વયં કરવાના, કે નથી બીજા પાસે કરાવવાના; એટલું જ નહિ પણ બીજા કરે તેમાં પોતાની ખુશી, ભાગ કે સમ્મતિ સરખી પણ નહિ. આમની પાસેથી આપણા સાવદ્ય કાર્યમાં સંમતિની પણ આશા ન રખાય, તો આપણે એમની પાસે કરાવવાની વાત જ ક્યાં ? - આચાર્ય મહારાજ નગર બહાર પધારેલા છે. એમને કુમારપાળના મંત્રી હવેલીમાં પધરાવી કહે છે “સાહેબ ! આ હમણાં હવેલી બંધાવી. આચાર્ય મહારાજ મૌન રહે છે, એટલે મંત્રી પૂછે છે “ કેમ કંઈ બોલ્યા નહિ ?” ત્યારે સાથેના મુનિ મંત્રીને જગાડવા કહે છે “મહેતા ! તમારે પાપના-સાવદ્યના કાર્યમાં સાધુની સંમતિ જોઈએ છે ? ન મળે, સંમતિ તો ધર્મકાર્યમાં મળે.' તરત મંત્રી સમજી જઈ કહે છે ‘લ્યો સાહેબ, ત્યારે આજથી આ ધર્મનું સ્થાન, પૌષધશાળા !” હવે આચાર્યદેવ કહે છે, ‘આમાં ધર્મ- સાધનાઓ સારી થશે !' સંમતિ ધર્મ-કાર્યમાં આપી. આમ મનવચનકાયાયે થતી પાપથી સર્વથા નિવૃત્તિને સાધુજીવનના એક અંગ તરીકે ધારણ કરવા સાથે, શુભ પ્રવૃત્તિ રૂપ બીજા અંગને મુનિ પાળનારા હોય છે, કે તે માટે કહ્યું પંચવિહાયાર-જાણગા” જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, -એ પાંચ પ્રકારના પવિત્ર આચારના “સમ્યજ્ઞાતા', અર્થાત, જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિક્ષાવાળા, એટલે કે જાણનારા અને પાળનારા હોય છે. એમાં એમને સભ્યશાસ્ત્રજ્ઞાન, સમ્યગ્દર્શન પંચમહાવ્રતમય સમ્યક્યારિત્ર, બાહ્ય-આભ્યન્તર તપ, અને એ ચારોમાં વીર્ય યાને પ્રબળ વીર્યોત્સાહએના પોષક- સમર્થક-વર્ધક વિવિધ આચારો જ પાળવાના હોય છે. આવું સુંદર આત્મોપકારી અને પરને લેશ પણ પીડા નહિ આપનારું જીવન સ્વયં જીવવા ઉપરાંત, તે મહર્ષિઓ “પરોપકારમાં પણ રક્ત હોય છે; અવસર આવ્ય ભવ્ય જીવોને માત્ર પવિત્ર નિષ્પાપ જીવનનો ઉપદેશ કરી, દોષત્યાગ અને ગુણપ્રાપ્તિમાં ઉત્સાહિત કરે છે. યોગ્ય જીવોને સાધુપણું પળાવી પરનો ઉત્તમ ઉપકાર કરનારા મુનિઓજ છે. (૧) એમનો ઉપકાર પોતાને અને બીજાને માટે એકાંતિક છે, એટલે કે અપકાર (અહિત)ના લેશ વિનાનો કેવળ શુદ્ધ ઉપકાર છે; તથા (૨) તે ઉપકારની આત્યંતિક એટલે કે છેલ્લો છે, અર્થાત જે ઉપકારની પછી હવે બીજા ઉપકારની અપેક્ષા નહિ રહે; કેમકે જીવ આ દોષત્યાગ અને ગુણપાલનના ઉપકારથી અંતે અનંત શાશ્વત સુખ પ્રાપ્ત કરી હંમેશ માટે કૃતકૃત્ય બનશે. એવો એમનો ઉપકાર છે. * નાસ્તિક એક પાનું પહેલા ૮૦-૮૧ પાનું છે.
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy