SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્લન્દ તો પર પદાર્થોના લક્ષ્યથી થાય છે. આત્મા તો સહજ કલ્યાણ સ્વરૂપ છે, નિવૃત્તિવાળો છે. જો તેનામાં આકુળતા થઈ તો સમજવું કે વિભાવમાં પ્રવૃત્તિ થઈ છે. તે વખતે શાંતિનો સંભવ નથી. સમ્યગુદર્શન સહજપણે સાધ્ય થાય છે, પુરુષાર્થ કરતા પરનું કર્તૃત્વ ન આવી જાય તે ધ્યાનમાં રાખવાનું છે. જો તેમ થઈ જાય તો આકુળતા તથા ચિંતા ઊભી થાય છે. જીવન બોજારૂપ લાગે છે. તેમ ન થાય તેનો લક્ષ રાખવાનો છે. (૯૯) શુદ્ધાત્માની આરાધના અને પ્રભાવના સહજ આનંદમય છે. તે માટે સર્વસ્વ સમર્પણ કરવા જેવું છે. શરૂઆતમાં બાધા ઊભી કરવા માટે કર્મના ઉદયરૂપ અન્ય દુર્વિકલ્પ માર્ગમાં આવી પડેલા કાંટા અને રોડા સમાન છે. તત્ત્વવિચારપૂર્વક તેને દૂર કરવા એ જ હિતાવહ છે. પાપોદયજન્ય સામગ્રી તો સુખરૂપ મોહવાન જીવોને પણ નથી લાગતી. પરંતુ પુણ્યોદયજન્ય સુંદર ઇચ્છારૂપ અનુકૂળ શરીર, વૈભવ, સ્ત્રી આદિ, લોક-પ્રતિષ્ઠા આદિ મેળવીને જીવ આકુળતાવાળા જોવામાં આવે છે. તે તો પોતે જ વિચાર કરવાનો છે. અર્થાતુ તેનાથી પર થવાનો પુરુષાર્થ કરવાનો છે. જિન ઉપદેશનું શ્રવણ કરી આત્મહિતના માર્ગે આગળ વધવું. સત્યનું પ્રાગટ્ય અંતરમાં આંતરિક પુરુષાર્થપૂર્વક જ થાય છે. તેથી અંતર્દષ્ટિ કરીને સ્વમાં જ નિજાનંદનું વેદન કરીને તૃપ્ત થઈ જવાનું છે. આ જ અપૂર્વ કાર્ય કરવાનું છે. (૧૦૦) સંયોગો મળવા, છૂટી જવા એ કર્મના ઉદય અનુસાર છે. તેમાં વિકલ્પ ઊભા કરી ખેદ કરવો ઉચિત નથી. અંતરમાં બિરાજમાન પરમાત્માનો જ મહિમા પ્રગટાવી અન્યની ચિંતા ન કરવી, આત્માનો પરમાર્થ ગુરુ-આત્મા જ છે. તેથી આત્મા જ પરમ ઉપાદેય છે. આ માર્ગનું આરાધન ભાવુકતા નથી, પરંતુ ધૈર્ય અને આંતરિક પુરુષાર્થ છે માટે બાહ્ય સાધન તો યોગ્યતા અનુસાર સહજ મળી આવશે. તેથી પોતાની ભાવના વિશુદ્ધ રાખવી, એક ક્ષણ પણ તત્ત્વની અથવા દેવ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છે ૩૮ જ
SR No.005957
Book TitleAatmgnanno Purusharth
Original Sutra AuthorN/A
AuthorRasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy