SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ થવા, આ રત્નત્રયીનું પ્રથમ પદ સમ્યગ્દર્શન એ બીજ સમાન છે. તે માટે ગુરુગમે રત્નત્રયીનો અભ્યાસ, ચિંતન, મનન અને ભૂમિકા અનુસાર આરાધન કરવું સાધક માત્રને કલ્યાણકારી છે. તેનું સામર્થ્ય તો અનુભવે જ સમજાય તેવું છે. એક વાર એનું રસપાન થાય તો પછી અમૃત ત્યજીને કોણ વિષપાન કરે ? સમ્યગ્દર્શન આત્મસુખની અનુભૂતિનો પ્રથમ આસ્વાદ છે. તે પછી પાર્થિવ પદાર્થોની તુચ્છતા અનાયાસે થઈ જાય છે, અને ઔદાસીન્ય ભાવ સહેજે ઉદ્ભવ પામે છે. એક ક્ષણની અંતભેદ જાગૃતિ ક્રમે કરી શાશ્વત સુખને આપે છે. રત્નત્રયીના આ પરમ રહસ્યને જાણીને સૌ ભવ્યાત્માઓ વિનશ્વર પદાર્થોમાં રહેલા સુખાભાસને ત્યજીને આ માર્ગમાં આગળ વધો તેમાં જ આ જન્મનું સાફલ્ય છે. તે વાત આ સ્વાધ્યાયમાં પ્રસ્તુત કરવામાં આવી છે. “વિદ્વાનોએ દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતાપૂર્વક જ ધ્યાન કહેલું છે, તેથી એ ત્રણેની શુદ્ધતા વગર જીવોનું ધ્યાન વ્યર્થ છે.” ધ્યાનનો હેતુ મુક્તિ છે અને તે સમ્યગુદર્શનાદિ વડે જ સિદ્ધ થાય છે. - જ્યારે મિથ્યાત્વ આદિથી મુક્ત થઈ જીવ પ્રથમ સમ્યગુદર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે, ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેતન-અચેતનના ભેદજ્ઞાનનો તેને આંશિક અનુભવ થાય છે. એથી સાધકને સમજાય છે કે પુષ્પમાં જેમ સુવાસ વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરપ્રમાણ વ્યાપ્ત હોવા છતાં સ્વભાવે તેનાથી ભિન્ન છે. દેહનું રૂપાંતર થાય કે જન્માંતર થાય તો પણ આત્મા નિત્ય રહે તેવો તેનો સ્વભાવ છે. રાગાદિ વિભાવોના સંયોગ વડે આત્મા તે રૂપ થઈ જતો જણાય છે ખરો, પરંતુ જેમ પહેરેલા વસ્ત્રથી કે તેના સ્પર્શથી શરીર જુદું છે તેમ આત્મા દેહથી અલગ છે, કારણ કે રાગાદિ આત્માનો મૂળસ્વભાવ નથી, એવો પ્રતીતિયુક્ત અનુભવ સમ્યદૃષ્ટિ આત્માને હોય છે. અજ્ઞાન ટળે-જ્ઞાન પ્રગટે : એક ફાનસના ગોળાને મેશ લાગી હોય તો તેમાં જ્યોત પ્રગટેલી હોવા છતાં તેનો પ્રકાશ પ્રગટપણે જણાતો નથી, તેમ આત્માને ૫૪
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy