SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પણ તે તે રૂપે પરિણામ થઈ જતાં નથી. આવી ભેદજ્ઞાનની ધારાને કારણે વૈરાગ્ય-દશા વધતી જાય છે. અને ધ્યાનરૂપ અગ્નિ વડે ઉદયનાં અને સત્તાનાં કર્મોને તે નષ્ટ કરે છે. આમ સંસારથી મુક્ત થવા માટે ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાની જે કંઈ બને તેને જાણે છે, જુએ છે, અને સમભાવે વર્તે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે તન્મયતા ન થાય તેવી ચિત્તની ધારા સમભાવે ટકે છે. ધર્મધ્યાનના પ્રકારોના સેવન વડે સાધક એ ભૂમિકાએ પહોંચે છે. માટે એ પ્રકારોનું શુદ્ધભાવ વડે અવલંબન લેવું. સૃષ્ટિની રચના અને કર્મસિદ્ધાંત : એક અપેક્ષાએ એમ કહી શકાય કે આરૌદ્રધ્યાની-અશુભધ્યાની આત્મા બહિરાત્મા છે. ધર્મધ્યાન-શુભધ્યાની આત્મા અંતરાત્મા છે. શુકલધ્યાની-શુદ્ધધ્યાની આત્મા પરમાત્મા છે, આર્તિ-રૌદ્રધ્યાન નિરંતર કર્મબંધનું કારણ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન મુક્તિનાં કારણ મનાય છે. કર્મબંધનથી છૂટવા, મુક્તિરૂપ શુકલધ્યાન સુધી પહોંચવા ધર્મધ્યાન એ વિશ્રામસ્થાન જેવું છે. ત્યાંથી ક્રમે કરીને સાધક આગળ વધે છે. સૃષ્ટિમંડળમાં રહેલા પ્રાણીમાત્રના વિકાસની ભૂમિકાએ વિચારીએ તો આત્મા અને કર્મસિદ્ધાંત, તેનાં પરિણામો એ અગત્યના મુદ્દાઓ છે. આ તત્ત્વોને છોડીને જગતના કોઈ પણ તત્ત્વનું, પ્રાણીનું કે પ્રકૃતિનું અસ્તિત્વ વિચારવું કે સંશોધન કરવું શકય નથી. જૈનાગમસૂત્રોમાં છ સિદ્ધાંત વડે આત્મા, કર્મ અને મુક્તિના તત્ત્વોનું નિરૂપણ કર્યું છે : આત્મા છે,-શુદ્ધતત્ત્વ-અસ્તિત્વ. આત્મા નિત્ય છે,-શાશ્વત તત્ત્વ. આત્મા કર્મનો કર્યા છે,-વિભાવના કર્તાપણાના સ્વીકારથી. નિશ્ચયથી નિજસ્વરૂપનો કર્તા સ્વીકાર્યો છે. આત્મા ભોક્તા છે, નિજ કર્મનો કર્તા હોવાથી ભોક્તા છે. નિશ્ચયથી નિજસ્વરૂપનો ભોક્તા છે. તેનો મોક્ષ છે, મુક્તાત્મા-શુદ્ધ આત્મસ્વરૂપ. વૈભાવિક કર્તાપણાથી ४3
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy