SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શુભયોગ હો-અશુભયોગ હો, સુખદ પરિસ્થિતિ હો-દુઃખદ પરિસ્થિતિ હો, આવા વિવિધ સંયોગોમાં અંતર વિશુદ્ધિમાં સ્થિર રહેવું તે ધ્યાનસાધકની અંતરદશા છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ભયમુક્તસમી તે પ્રગટ સમાધિ છે. ધ્યાન-સમાધિની આંશિક સ્વાનુભૂતિનું જ્ઞાનમય સામર્થ્ય પણ ભૂતકાળના સૂક્ષ્મ દોષોને, સત્તામાં રહેલી કર્મજન્ય પ્રકૃતિઓને અને પૂર્વ સંયોગાદિને કારણે વર્તમાનની અસર્વાસનાઓના પ્રદૂષણને પ્રાય નષ્ટ કરે છે. ધ્યાનમાર્ગના આવા પરમ રહસ્યને જાણીને ભવ્યાત્માઓ આ માર્ગનું અવલંબન કરે છે. જ્ઞાનીઓએ પ્રકાણ્યું છે કે, ભવસાગરરૂપી મહાસમુદ્રને તરવા માટે ધ્યાન નાવરૂપ છે. | સર્પના હૂંફાડાથી જીવજતુંઓ કે માનવી દૂર નાસી જાય છે, તેમ આ માર્ગની આરાધનાના સામર્થ્ય વડે કર્મ, ક્લેશ, સંઘર્ષ, તંદ્ર આદિ મહદ્અંશે દૂર થાય છે. આત્મશ્રદ્ધાનો રણકાર હૂંફાડાની જેમ કર્મ આદિને પડકારતો રહે છે. સાધકના જીવનમાં ગુણરાશિ ઊમટે છે. અને જીવન આનંદ, મંગળ અને પ્રસન્નતાથી પુષ્પકળીઓની જેમ ખીલી ઊઠે છે. શ્રી સદ્ગુરુ પ્રવચનરૂપી અંજન : ધ્યાનનું આવું પરમ સત્ત્વ જાણીને, નાણીને અને માણીને યોગીઓએ તેને જગત સમક્ષ પ્રગટ કર્યું. જગતના બાહ્ય પ્રલોભનોથી ગ્રસિત થયેલા જીવો આ માર્ગનું રહસ્ય સમજશે તો, અંતરમાં રહેલું અપ્રગટ સતુ ધ્યાન દ્વારા પ્રગટ થશે. એ પ્રગટ કરવું તે માનવનું સર્વોત્તમ શ્રેય છે. “પ્રવચન અંજન જો સદ્ગરુ કરે દેખે પરમ નિધાન, જિનેશ્વર, હૃદયનયણ નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર.” (શ્રી આનંદઘનજી કૃત ધર્મ જિન-સ્તવન) જીવમાત્રમાં આત્મસત્તા વિલસે છે. માનવદેહમાં તે પ્રગટ થવાની
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy