SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારોમાં જેને ચિત્તની એકાગ્રતા, શૂન્યાવસ્થા કે સમાધિ કહે છે એ જૈનદર્શનની અપેક્ષાએ “સમ્યગ્દર્શન'ની ભૂમિકા ગણી શકાય, એટલે કે શુદ્ધધ્યાનાવસ્થાનો એક પ્રકારે પ્રારંભ છે. તે પછી ધ્યાનનો વિશિષ્ટ અનુભવ તો નિગ્રંથઅપ્રમત્ત મુનિપણામાં હોય છે અને પૂર્ણશુદ્ધધ્યાન તેથી આગળની દશામાં હોય છે. પ્રસ્તુત સમ્યગ્દર્શનની સંક્ષિપ્ત સમજ : ઉપર કહેલા સમ્યગદર્શનની વ્યાખ્યા અંગે જૈનશાસ્ત્રોમાં નીચેની મહત્ત્વની સૂક્ષ્મરેખા અંકાઈ છે. જેનો વિસ્તાર તે વિષયના સ્વાધ્યાયમાં જોઈશું. સૃષ્ટિમંડળની રચના જે તત્ત્વોને આધારે છે તે નવતત્ત્વની યથાર્થ અને નિઃશંક શ્રદ્ધા. જડ-ચેતનનું અનુભવ સહિત ભેદજ્ઞાન. સર્વજ્ઞ-વીતરાગદેવ, નિગ્રંથમુનિ અને તેમનો પ્રરૂપેલો ધર્મ તેની શ્રદ્ધા, બોધ અને આચરણ. એક ક્ષણની પણ અંતર્ભેદ સહિતની જાગૃતિ. મિથ્યાત્વાદિ અમુક કર્મ-પ્રકૃતિઓનો આત્મામાંથી છેદ. વર્તમાનની એક સમયની પર્યાયમાં શુદ્ધાત્માનો અનુભવ. સમ્યગ્દર્શન એટલે આત્માનું સ્વરૂપદર્શન, તેની વિવિધ વ્યાખ્યાઓ છે. એ દર્શન સાથે જ્ઞાન સમ્યરૂપે પરિણમે છે અને તે આત્મા સમક્તિી કહેવાય છે. તેના ગુણો, આચાર, વિચાર વગેરે સર્વ પણ સમ્યગુરૂપ થાય છે. આ ચોથું ગુણસ્થાન છે, અને ખરું જોતાં મુક્તિમાર્ગ માટે પ્રથમ ગુણસ્થાન છે. અહીંથી “ધર્મધ્યાન'નો યત્કિંચિત પ્રારંભ થાય છે. વર્તમાનયુગમાં ધ્યાન અંગેના શુદ્ધ પ્રકારોની સાધના અત્યંત જરૂરી છે. કારણ કે સાચી દિશામાં ઉપાડેલું એક પગલું પણ આપણને ગંતવ્ય સ્થાને લઈ જાય છે. સમ્યગુદર્શન, કેવળજ્ઞાનની-પૂર્ણતાની અપેક્ષાએ બીજ સમાન છે. બીજ અને પૂનમમાં પ્રકાશની જ તરતમતા છે. બીજ, ક્રમે કરી પૂનમે પૂર્ણ ખીલી ઉઠે છે. તેમ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થયેલો આત્મા ૧૫
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy