SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જયણાની શિક્ષાપત્રી જૈન કોમ આટલી ઉજળી, તેજસ્વી અને આગળ પડતી છે તે જિનપૂજા - જીવદયા અને જયણાને આભારી છે. જૈનો જિનપૂજા - જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે. પરંતુ અફસોસ સાથે એકરાર કરવો પડે છે કે હવે આ ત્રણેય કુળદેવીની ભક્તિમાં ઓટ આવી છે. આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા. આ બે પરીબળોના કારણે જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે. જૂના સમયમાં આપણી દાદીમા આ બાબતોમાં ખૂબ ચોક્કસ હતી. આ વિષયમાં ખૂબ માહિર હતી. રસોડામાં ચંદરવા-પૂંજણી વગેરે જયણાના સાધનો અવશ્ય રાખવામાં આવતા પરંતુ આધુનિકતાના રંગે રંગાયેલી વહુઓનું સામ્રાજ્ય ઘરમાં આવ્યું ત્યારથી જયણાની જાળવણી ઘટતી ચાલી. તેઓની ઉપેક્ષાથી જાણે જયણાદેવી ઘર ત્યજીને ચાલી નીકળ્યા છે. આજે આ નવા રંગે રંગાયેલી વહુ - દિકરીઓને ખબર જ નથી કે ઘરમાં જીવોત્પત્તિ કેમ અટકાવવી અને જીવોત્પત્તિ થઈ જાય તો જયણા કેવી રીતે કરવી? પૂર્વે આ બધું આપણા દાદીમાને મોઢે હતું. આ આખી બુક એમને કંઠસ્થ રહેતી હતી. આ પરિસ્થિતિને નજર સમક્ષ રાખી આ બુક તૈયાર કરવામાં આવી છે. જીવદયા અને જયણાની આરાધના-પાલના ઘરમાં જેટલી વધારે હશે એટલું આરોગ્ય ઘરમાં સચવાશે. મંદવાડ દૂર ભાગશે. આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે. તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે!
SR No.005921
Book TitleShravakni Jayna Pothi
Original Sutra AuthorN/A
AuthorTribhuvanbhanu Prakashan Trust
PublisherTribhuvanbhanu Prakashan Trust
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy