SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ se ધરતી માતા, વિસ્તારોમાં થાય છે. એ ઉપરાંત દક્ષિણમાં બગીચાઓની ખેતીના રૂપમાં નહેરોના પાણીથી અમેરિકન રૂ ઉગાડવામાં આવે છે. કાળી જમીનમાં થતી રૂની ખેતીનું નિરીક્ષણ કરતાં જોવામાં આવ્યું છે કે, જ્યાં સેન્દ્રિય ખાતરોવાળી ફળદ્ર ૫ જમીન હોય છે, ત્યાં રૂનો પાક સારે ઊતરે છે. ગામડાંના લોકોની ખેતરોમાં મળત્યાગ કરવાની ટેવથી પણ જમીનને ઠીક ઠીક ખાતર મળતું રહે છે. પરંતુ જે જમીને ખાતર વગરની હોય છે, ત્યાં પાક ઓછો ઊતરે છે. વરસાદ સારો પડે છે તે વર્ષોમાં રૂનો પાક સંતોષકારક ઊતરે છે. પરંતુ આવી જમીને વરસાદની મોસમ પછી સતત જામી જઈ, તેમાં ફોટો પડી જાય છે, અને તેથી છોડનાં મૂળને નુકસાન પહોંચે છે. બધી કાળી જમીનમાં આમ બને છે; એટલે આવી જમીનમાં રૂની ફસલ ઝટ ઊતરે એવી જાતો વાવવી પડે છે. બે વખત રૂનો ઉતારો લઈ લેતાં ફસલ પૂરી થઈ જવી જોઈએ. અલબત્ત સેંદ્રિય ખાતરો આ સ્થિતિને હળવી કરી આપે છે, એ નોંધતા જવું જોઈએ. ઉત્તર-પશ્ચિમ ભારતની કાંપ-જમીનમાં રૂની ખેતી નહેરનાં પાણીથી કરવામાં આવે છે. તેનાથી જમીન જામી જાય છે. અમેરિકન રૂનાં મૂળ ઊંડાં ન જતાં હોવાથી તે જાત અહીં વધુ ફાવતી નથી. ખાસ કરીને પંજાબમાં રૂનો પાક ઊતરવામાં બહુ મોડું થાય છે; અને ચાર વખત રૂનો ઉતારો લેવો પડે છે. આ જમીનનું દુખ એ છે કે, તેઓ નહેરના પાણીથી Íચાતી હોઈ, તેમની છિદ્રાળુતા ઓછી થઈ જાય છે અને ખાર જામતો જાય છે. એને સહેલો ઉપાય સૂમસનું પ્રમાણ જમીનમાં વધારીને જમીનને સખત જામી જતી અટકાવવાનો છે. કારણ કે, હ્યુમસને લીધે જંતુઓની વસ્તી જમીનમાં વધી જાય છે, અને એમની કામગીરીથી જમીનની છિદ્રાળુતા કાયમ રહે છે. વળી ગુંદરિયા રજકણોની ઉચિત વૃદ્ધિ થવાથી જમીનનાં રજકણો છૂટાં પડી જામી જતાં નથી. વળી ધૂમસ મળવાથી રૂના પાકને લાગતા રોગોનો પણ તે
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy