SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતી માતા સદંતર નાશ પામી જાય છે, એટલું જ નહિ પણ જે ગુંદરિયા રજકણ જમીનના સંયુક્ત રજકણોને બાંધતા હોય છે, તે નાશ પામે છે. પરિણામે ઉપર જણાવ્યા પ્રમાણે જમીન ચોટીને સખત બની જાય છે અને તેની છિદ્રાળુતા નાશ પામે છે. ગંગાનદીનાં મેદાનોની જમીન ઉપર ખેતી કરનારા જૂના અનુભવી ખેડૂત તો સૈકાના અનુભવે એવી રીતે ખેતી કરે છે, જેથી તે જમીનનું એછું ધૂમસ છેક જ ખૂટી જતું નથી. પરંતુ એ લોકોને પણ હવે પશ્ચિમના વૈજ્ઞાનિકો પાકના ઉત્પાદનને વધારવાની કહેવાતી પ્રક્રિયાઓ શીખવવા જાય છે. એનાથી જમીન ખારવાળી થવાનાં કારણોમાં નીચે જણાવેલા ત્રીજા ખંડમાં બતાવ્યા મુજબ બરબાદી સરજાય છે. ૩. રાસાયણિક ખાતરે, ખાસ કરીને સલ્ફર મેનિયાને ઉપયોગ જ્યાં જમીનમાં ધૂમસને અનામત જથ્થો વધુ હોય છે, ત્યાં પણ આ ખાતરને ઉપયોગ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું નુકસાન કરે છે. એ ખાતરમાંથી સહેલાઈથી આત્મસાત કરી શકાય તેવા રૂપમાં નાઇટ્રોજન મળી શકતું હોવાથી ફૂગ અને બીજાં એવાં જંતુઓ જમીનમાં પેદા થાય છે; તેઓ જમીનમાંના સેન્દ્રિય પદાર્થોની શોધમાં નીકળી, પ્રથમ તે ધ્રુમસના અનામત જથાને ખાઈ નાખે છે, અને પછી રજકણોને ચોટાડતા સેન્દ્રિય ગુંદરિયા તવને ખાવા લાગે છે. આ ગુંદર એ હોય છે, જે સામાન્ય રીતે ખેડાણ જમીનમાં ચાલતી પ્રક્રિયાઓથી અસર પામતા નથીપરંતુ કૃત્રિમ – રાસાયણિક ખાતરોથી ઉત્તેજિત થયેલ એ જ પ્રક્રિયાને સામનો કરી શકતો નથી. આમ ખાર-જમીનની શરૂઆત જમીનની છિદ્રાળુતા બંધ થઈ કિસજનને પુરવઠો જમીનમાં પહોંચતે અટકવા વડે થાય છે. પછી આંતર જમીનમાંને ઓકિસજન ખાનારાં જંતુઓ અને ફૂગે આગળ આવે છે. એમ ઑકિસજનનો પુરવઠો મળવાનું સહેલામાં સહેલું નાઇટ્રેટ રૂપી જે મૂળ તે તદ્દન ખૂટી જાય છે. પછી તેંદ્રિય તત્વોમાં આ
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy