SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતી માતા જમીનની ફળદ્રુપતા તે જમાનામાં જળવાઈ રહેવાનું એક મુખ્ય કારણ જમીનને અવારનવાર વાસેલ રાખવાની પદ્ધતિ હતી. એક વરસ કે બે વરસ વારાફરતી જમીન ઘાસ-ઝાંખરાંની લીલી શેતરંજી હેઠળ ઢંકાયેલી રહે તેનાથી, તથા એ ઘાસ-ચારો ચરવા ફરનારાં ઢોર-જાનવરનાં છાણ-લીંડીથી, જમીનને જોઈતું ખાતર મળી રહે છે. ૨૩ જ્યાં સુધી યુરોપખંડની ખેતી આ પદ્ધતિને વળગેલી હતી, ત્યાં સુધી તે પેાતાની ફળદ્રુપતા જાળવી રાખી શકી. જો કે, એવી અણઘડ પદ્ધતિથી ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય ખરી; અને ઇંગ્લૅન્ડના દાખલામાં આપણે જોઈશું કે એમ જ બન્યું છે. પરંતુ એવી એવી અણઘડ પદ્ધતિને પણ જીવલેણ ફટકો પડયો તે ઘોગિક ક્રાંતિએ ઊભી કરેલી અસાધારણ પરિસ્થિતિને. એને સંપૂર્ણ દાખલા ઈંગ્લૉન્ડ દેશના ખેતીવાડીના ઇતિહાસ પૂરો પાડે છે; એટલે આપણે તે તરફ વળીએ. ૩ રામનાએ ઇંગ્લૅન્ડ જીત્યું તે પહેવાં ઇંગ્લૅન્ડ દેશના માટો ભાગ કળણ પ્રદેશા અથવા • જંગલેાથી છવાયેલો હતા. ઉચ્ચ પ્રદેશામાંથી થોડાક ભાગા ઉપર જ ઘાસ કે તૂલ પેદા થતું હતું. વસ્તી બહુ થોડી જ હતી. રોમનોએ એ પ્રદેશ જીત્યા પછી ખેતી હેઠળના એ પ્રદેશા પેાતાના સરદારોને વહેંચી આપ્યા. તેને ઈંગ્લૅન્ડ દેશમાં કે ગૉલ (ફ્રાન્સ) દેશનાં મુકાયેલાં રામન લશ્કરી દળા માટે અનાજ કે પ્રાણી પૂરાં પાડવાનાં હતાં. તે વેઠે પકડેલા ગુલામેા વડે ખેતી કે પશુપાલન કરાવતા. આમ ઇંન્ગેન્ડમાંથી વહણા ભરી ભરીને ઘઉંના પાક યુરોપમાં ઘસડી જવાવા લાગ્યા. ઇંગ્લૅન્ડ દેશમાં તે વખતે એવું નિષ્કૃષ્ટ પ્રકારનું હળ ( ‘મેલ્ડબોર્ડ ') વપરાતું હતું કે જે જમીનને ઊંડે સુધી ખેડીને ઉલટાવી નાખે. એ હળ ધરતીપૂત તે વાપરે જ નહિ. પરદેશી વિજેતાઓ જેમને એ દેશની ધરતી સાથે કશી સીધી લેવાદેવા હાય નહિ – માત્ર તેમાંથી ધાન
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy