SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ધરતી માતા હવે ઝાડ વિનાની થઈ ગઈ, તે કહી શકાતું નથી. પરંતુ અત્યારે એ દેશની જમીન બિસમાર હાલતમાં છે. જંગલા અને ઝાડા ન રહેવાથી જમીનનું એટલું બધું ધાવાણ થઈ ગયું છે કે, ભેજવાળાં કળણા કે ધાવાણથી પડેલી મેાટી મેાટી ખાઈ સિવાય ત્યાં બીજું કશું રહ્યું નથી. ઇતિહાસના તખ્તા ઉપર શરૂઆતમાં બહાદુરી અને પરાક્રમ દાખવ્યા પછી ઈ. સ. પૂર્વે ચાથા-ત્રીજા સૈકામાં એ પ્રજાની પડતી શા કારણે થઈ, એની ઘણી ઘણી કલ્પના કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે, મલેરિયા રોગે એ પ્રજાને પાયમાલ કરી નાખી. મલેરિયા કળણના ભેજવાળા પ્રદેશેામાં જ વધુ માતે; અને જંગલ વિનાના પ્રદેશ ઉપર જ ધાવાણથી એવા કળણવાળા ભેજ-પ્રદેશા ઊભા થાય. એટલે જમીનની સધ્ધરતા ઉપરના દુર્લક્ષથી જ એ બહાદુર પ્રજા બરબાદ થઈ છે, એ સમજતાં બહુ વાર લાગે તેમ નથી. રોમા અને ભૂમધ્ય વિસ્તારની બીજી પ્રજાઓના ઇતિહાસ પણ જમીન નબળી પડી જતાં નબળી પડી જતી મહાન પ્રજાને જ કરુણ ઇતિહાસ છે. કેટલાંય સૈકાં સુધી રોમન પ્રજા પાતાનાં ફળદ્રુપ ખેતરોની માવજત કાળજીથી કરતી આવી હતી. પરંતુ પછી બહારની પ્રજા અને દેશાને જીતવા તરફ વળીને ત્યાંથી ઊઝરડી આણેલી સમૃદ્ધિથી વિલાસી બની જઈ, શહેરોમાં આરસના મહેલા બાંધીને તે પ્રજા પડીપાથરી રહેવા લાગી. પેાતાનાં ખેતરો તે પ્રજાએ યુદ્ધમાં પરદેશથી પકડી આણેલા ગુલામાને સોંપી દીધાં; અને પછી તે પૂરી માવજત વિના અને દેખરેખ વિના એ ખેતરોની ફળદ્રુપતા ઘટતાં તેમાંથી મળતર ઓછું થતું ગયું, એટલે એ લેાકા ખેતરોમાં થોડા ગુલામ-ભરવાડોથી ચરાવાતાં ઢેર અને જાનવરોનાં ટોળાં જ રાખવા માંડયા, અને પેાતાને જોઈતું અનાજ પોતે જીતેલા આફ્રિકાના કિનારા ઉપરના પ્રદેશોને રંજાડીને મેળવવા લાગ્યા. પરંતુ તે પ્રદેશેાની જમીન પણ કાળજી વગરની લૂંટાલૂંટથી ઉજ્જડ રણ-વેરાન બનવા લાગી અને અત્યારે ત્યાં ફળદ્રુપ જમીનકતાં વેરાન રણ જ વધારે છે.
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy