SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતી માતા જોકે માનવ ઈતિહાસ જોઈશું તો જણાશે કે, આસુરી શક્તિને અતિરેક થઈ જ્યારે કુદરતની વ્યવસ્થા-ધર્મ- તૂટી પડવાની અવસ્થા આવે છે, ત્યારે તે શક્તિને દબાવી, ધર્મની પુન:સ્થાપના કરનાર મહાનુભાવે અવતરીને “યજ્ઞ’ના મહાનિયમને પુનઃસ્થાપિત કરે છે. અને તેથી જ માનવજાત તાત્કાલિક વિનાશમાંથી– પ્રલયમાંથી બચી જાય છે. આ પ્રકરણમાં માનવની આસુરી વૃત્તિઓને આધુનિક જમાનામાં કેવો ઉદ્રક થઈ રહ્યો છે, તે દર્શાવવા સર આલ્બર્ટ “માનવની કિતાબ ખોલીને સૌ કોઈનું ધ્યાન તેને પરિણામે ઉદ્ભવેલી ગંભીર પરિસ્થિતિ તરફ ખેંચે છે. પ્રાણીસૃષ્ટિને કાયદો જોઈએ, તો માલૂમ પડશે કે, સૂર્યની શક્તિ પાવીને તૈયાર કરેલા ખોરાકથી પરિપુષ્ટ થયેલ વનસ્પતિ ખાઈને પ્રાણીસૃષ્ટિ વિહરે છે. એક જગાએ ખેરાક ઓછો થઈ જાય, તો તે બીજી જગાએ સ્થળાંતર કરે છે. પશુઓનાં ટોળાં લઈને ફરનાર માનવજૂથોનું પણ તેમ જ છે. પરંતુ માનવ પ્રાણીએ, કયે વખતે, વનસ્પતિનાં બીજ સંગ્રહી, તેમને ફરીથી વાવી, પાક તૈયાર થાય ત્યાં સુધી એક જ જગાએ વ્યવસ્થિત રહેવાનું ગોઠવ્યું, તેને ઇતિહાસ ભલે નોંધાયો ન હોય, પરંતુ એટલું જરૂર કહી શકાય કે, જયારથી માણસે જમીનમાં બી વાવી પાક લણવાની કૃષિ-વિદ્યા હાંસલ કરી, ત્યારથી માણસ-જાતને ઈતિહાસ કે સંસ્કૃતિ શરૂ થયાં. ત્યારથી જ માનવજાતના શાણા પુરુષોએ –ષિ એ-અવતારોએ ઘોષણા કરીને ભારપૂર્વક એમ શીખવવું પણ આવશ્યક માન્યું કે, કુદરતના ભંડારમાંથી આવશ્યકતા પુરતું લો ખરા, પણ બદલામાં સામે વળતર વાળવાની ભાવના જરૂર રાખજો! એમ કર્યા વિના કુદરતને ભંડાર ભેગવવા જશે, તે ચોર ઠરશે અને ચોરોની રીતે સજાને પાત્ર થશે.
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy