SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીની આત્મકથા શકે, છતાં આત્મકથા”ના પ્રસંગમાં જીવનરસ એ માણે છે અને એનું હૃદય પ્રેરણા અને સામર્થ્ય મેળવે છે. આત્મકથા'માં લેખકના સમકાલીનનું વર્ણન આવ્યા વિના ન રહે, સગાંસંબંધીથી માંડીને, મિત્રો, પરિચિત વ્યક્તિઓએ લેખકના જીવનમાં ઘટક કે પ્રેરક બળ તરીકે ભાગ ભજવ્યો હોય તેનાં ચિત્ર આવશ્યક બને. ગાંધીજી જેવી અનેકમુખ અનેકવિધ પ્રવૃત્તિ કરનાર લોકનાયકના જીવનમાં આવી અનેક વ્યક્તિઓને સ્થાન હોય એ સ્વાભાવિક છે. નારાયણ હેમચંદ્ર, રાયચંદભાઈ, ગોખલે વગેરે વ્યક્તિઓએ ગાંધીજી ઉપર ગાઢ સર કરેલી અને તેમનાં ચિત્રો કંઈક વિસ્તારપૂર્વક આલેખાયાં છે. સર ફિરોજશાહ મહેતા, ડે. ભાંડારકર કે સુરેન્દ્રનાથની તે ઝલક આપી છે. આત્મકથાના લેખકમાં સંક્ષિત્તિ અને માર્મિક રેખાચિત્ર દોરવાની શક્તિ હોવી જોઈએ. ગાંધીજીની આ શક્તિનું ઉત્રાહરણ આ રહ્યું : “ સર ફિરોજશાહ તે મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા.” સરળ અને સ્વાભાવિક છતાં ચેટદાર ઉપમાઓ તો અહીતહી વેરાયેલી નજરે આવે છે. આત્મકથાનાં કેટલાંક પ્રકરણોમાં નવલકથાનાં પ્રકરણોને વેગ અને તાદશતા છે, વર્ણનોની વિગતપ્રચુરતા છે સંવાદોની મામિકતા છે. પ્રિટોરિયા જતાં ટ્રેન અને શિગરામની મુસાફરીના અનુભવોનું આલેખન જીવતા છે. કેટલાક પ્રકરણો કે કડિકાઓ નાના નિબંધ કે ઇતિહાસ જેવાં બની ગયાં છે એ સાચું : છતાં એ નિરસ ન બની જતાં પોતાના કઠામાં અવશ્ય નિર્વાહ્ય તો બને છે. ગાંધીજીનું હાસ્ય તો વિશ્વવિદિત છે. એ માર્મિક હાસ્ય અહીં કેટલીક વાર હળવાશમાં કે પરિહાસમાં કે કટાક્ષમાં આવિર્ભાવ પામે છે. કટાક્ષયુકત હળવાશથી ત્રણ ભાઈઓના વિવાહ એક સાથે કરી નાખવાના મુરબ્બીઓના નિશ્ચયને તે રજૂ કરી શકે છે તેવી ગંભીર કરુણતાથી પિતાના મૃત્યુ પ્રસંગે પોતાની મનોદશાનું વર્ણન કરી શકે છે. અ. ૪
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy