SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના પ્રાચીન આર્ય–સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કની ત્રિવેણુનાં વહેણ આખરે પ્રસન્ન સમવય પામશે એવું ગોવર્ધનરામે કયું. જેમ પશ્ચિમની “નવીન અને રાજસ વિદ્યાઓ અને સંસ્કૃતિને આધ્યાત્મિક સંશુદ્ધિ અને અનુપ્રાણનની જરૂર છે, તેમ “આર્યાવર્તની પ્રાચીન અને સાત્વિક વિદ્યાઓ અને સંસ્કૃતિને આજના દેશકાળને અનુકૂળ આકાર-પરિવર્તનની જરૂર છે. આ બંને બળોની આ પ્રમાણે સંશુદ્ધિ થાય અને આપણું જીવન એ સંશુદ્ધ બળાને ઝીલીને પ્રકાશમાન બને તે વ્યક્તિને અને સમાજને જે જીવનસરણું સાંપડે છે, વ્યક્તિના અધિકારને લક્ષમાં રાખીને રચાયેલી હોવાથી નિત્ય કલ્યાણકર અને આક-પરલોક બંને સાધનારી નીવડે. આ આદર્શ જીવનસરણી અને તેની પાછળ રહેલી જીવનની ભાવના અને દૃષ્ટિ ગોવર્ધનરામે સુંદરગિરિના સાધુઓના જીવનનાં નિરૂપણું અને મીમાંસા દ્વારા રજૂ કરી છે. આ સાધુઓ વેદાંતની જીવ, ઈશ્વર અને બ્રહ્મની ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્યની દિપુટીને માને છે. સામાન્ય માણસે જીવ અને ઈશ્વરના ઉપાધિ અંશને જ જોઈ શકે છે. તેથી જીવ અને ઈશ્વરને આ સાધુઓ લક્ષ્ય“લખ” કહે છે, અને ઉપાધિહીન બ્રહ્મને સામાન્ય માન જોઈ શકતા નથી તેથી તેને અલક્ષ્ય-અલખ' કહે છે. તેઓ સંસાર અથવા માયાને ત્યાજ્ય ગણતા નથી. સાંસારિક ભાવોનો સ્વીકાર પણ ન કરે અને ત્યાગ પણ ન કરો, કારણ આ બધા ભાવો પરમ અલક્ષ્યના લખરૂપની * વિભૂતિઓ છે, એટલે “લખ'ની ઉપાસના દ્વારા “અલખ ગ જગાવો એ એમને મુખ્ય સિદ્ધાંત છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશેલા નિષ્કામ કર્મગ જેવો આ સાધુઓનો ભાગ છે, તેથી જ વિષ્ણુદાસ સૂત્રરૂપે સમજાવે છે કે “અમે જેમ રક્ત નથી તેમ વિરક્ત પણ નથી, અમે તે માત્ર અરત છીએ. (ભાગ-૩, પ્રકરણ 5 મું) તેથી આધ્યાત્મિક ઉન્નતિ માટે સંન્યાસ ન લેતાં સૌ કોઈએ પોતાને પ્રાપ્ત થયેલા ધર્મોનું-રાજધર્મ, ગાઈશ્યધર્મ, બ્રધર્મ વગેરેનું
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy