SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હું અજ્ઞાની છું આ નિર્બળ વિચારને લીધે માણસની સ્મૃતિ ઓછી થઈ છે. એ યાદ રાખવાનું યાદ રાખી શકતો નથી. યાદ રાખતાં પહેલાં જ એ વિચારતો હોય છે કે મારું મગજ કાચું છે, મને યાદ નહિ રહે. “હું ભૂલી જઈશ” એ વિચાર જ તમને ભુલાવી દે છે. પૂર્ણ શ્રદ્ધાથી વિચાર કે શા માટે હું ભૂલું ? મારી પાસે સુંદર મગજ છે, એવી કોઈ વાત નથી જે મને યાદ ન રહે. નકામી વાતો યાદ રહે છે તે કામની વાત યાદ કેમ ન રહે? હું જ્ઞાનસ્વરૂપ જ છું. જ્ઞાન એ મારા આત્માને મૂળ ગુણ છે. - આમ વિશ્વાસ (confidence, વધતો જશે તેમ તેમ તમારું આત્મજૂરણ (intuition) પણ વધતું જશે. સૂર્ય પહેલાં અરુણ આવે તેમ કાર્ય પહેલાં કારણ આવે. આજે માણસનું વાચન વધારે છે, વસ્તુઓને સંગ્રહ ખૂબ છે, માહિતી ખૂબ ભેગી કરી છે પણ આંતરસ્કૂરણ ક્ષીણ થઈ રહી છે. એટલે જ એ જેવીઓ ઉપર, બેટા (bogue) માણસે ઉપર, જાદુમંત્ર કરીને ચમત્કાર કરનારા બાવાઓ ઉપર, સમયને અનુરૂપ મીઠું મીઠું બોલનારા ધૂર્તો ઉપર વધારે આધાર રાખે છે. ' " તમારે હાથ જોઈને એ જોષીએ શું કહેવાના ? એનામાં જો જીવન ભાખવાની શક્તિ હેત તે એ આવા પાંચ-પચાસ રૂપિયા માટે તમારા હાથ જોવા અને તમારી જન્મોત્રીનાં કાગળિયાં
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy