SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાંખી જન્મ તખતગઢ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત તત્ત્વચિન્તક, પ્રવક્તા અને લેખક પૂજ્ય શ્રી ચિત્રભાનુજીનો રાજસ્થાનમાં વિ.સં. ૧૯૭૮ના શ્રાવણ શુક્લ બીજના દિવસે થયો હતો. એમનો વિદ્યાકાળ ટુમકુર અને બેંગલોરની મહાવિધાલયમાં પૂરો થયો હતો. સ્વજનના મૃત્યુના આઘાતથી વીસમે વર્ષે એમના પિતાશ્રી સાથે મુનિ થઈ, યોગ અને શાસ્ત્રોના અભ્યાસ સાથે ગામડે ગામડે હજારો માઈલ પગપાળા ફરી અહિંસા અને કરુણાભાવ ભરી લોકજાગૃતિ આણી. અંતરના અવાજને અનુસરી ૧૯૭૦માં જીનીવા દ્વિતીય આદ્યાત્મિક શિખર પરિષદમાં હાજરી આપી જૈન ધર્મના સિદ્ધાન્તોની અંજય ઘોષણા કરી. ૧૯૭૧માં સંપ્રદાયનો ત્યાગ કરી ગૃહપ્રવેશ કર્યો અને સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્કમાં સર્વધર્મ સમન્વયના પ્રાધ્યાપક બન્યા. ૧૯૮૧માં સેન્ડીએગોના સાગર તટે એમને દિવ્ય આત્મસાગાત્કાર થયો. આ •અલૌકિક અનુભૂતિમાં એ વ્યક્તિમાંથી સમષ્ટિના વિશ્વમાનવ બન્યા. હાલ તેઓ જૈન મેડીટેશન ઈન્ટરનેશનલ સેન્ટરન્યૂયૉર્ક, મેડિટેશન સેન્ટર-ટોરેન્ટો, દિવ્ય જ્ઞાન સંઘ-ભારત, વેજિટેરિયન સોસાયટી-મુંબઈના પ્રમુખ સ્થાપક અને
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy