SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સાધુને એ પૂછ્યો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા... ન હાલે કે ન ચાલે. ખરેખર તારો પ્રશ્ન બહુ ખરાબ હતો." પણ પેલો પોપટ તો સમજી ગયો કે એણે માગેલો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું... આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું, ન બોલવાનું-પાંજરામાં મડદા જેવો થઈને એ પડી રહ્યો. શેઠ બહારથી આવ્યા ને એને બેભાન જોયો. અને બોલાવવા માંડ્યા. “બોલ, રામ રામ” શેઠને પોતાને તો રામનું નામ નથી બોલવું પણ પેલા પોપટ પાસે એ બોલાવે છે. શેઠે પેલા પોપટને બોલાવવાના ઘણા પ્રયત્ન તો કર્યો, પરંતુ એ તો ઢળી પડેલો હતો. શેઠ વિચારમાં પડયા કે આ પોપટને શું થઈ ગયું છે? પાંજરામાં જોયું તો ખાવાનું એમને એમ હતું, પીવાનું પાણી પણ એમને એમ હતું. શેઠને લાગ્યું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી પોપટ મરી જ ગયો લાગે છે. એટલે શેઠે પાંજરાનું બારણું ખોલ્યું અને મરેલો માની પોપટને ફેંકી દીધો - મરેલો પોપટ મારે શું
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy