SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જન્મ કલ્યાણક [૪૭] અને શાશ્વત શું છે? આમ અંદરનું મનન વધે તે અંતર તૂટે. આપણે બીજાની સાથે વાત કરીએ છીએ તે પિતાને ભૂલી જઈએ છીએ. આપણે આપણી સાથે વાત કરીએ છીએ ત્યારે જ આપણી નજીક આપણે આવીએ છીએ અને જાતને પિછાનીએ છીએ. ભગવાને કહ્યું કે તમે બીજાને કાં મિત્ર બનાવે છે? તમે તમને પિતાને મિત્ર બનાવે. તમારે મિત્ર તમારે આત્મા છે. માત્ર મિત્ર જ નહિ પણ સાચો આનંદ આપનારે મિત્ર, અને તે તમારે આત્મા. ત્રીજી વાત ભગવાને બતાવી કે લેકે આઝાદી છે છે, પણ આઝાદીને હેતુ ભૂલી જાય છે. આપણને આઝાદી મળવા છતાં દિલમાં અને મુખ ઉપર જે બરબાદી દેખાય તે એ મિથ્યા છે. આઝાદીના રહસ્યને સમજવાની જરૂર છે, એને માટે કઈ ખાસ વિશેષણની આવશ્યકતા છે. આપણી આઝાદીમાં આજે શું સુખ છે તે જુઓ. જીવનમાં અનીતિ છે, રસ્તાઓમાં જુઓ તે પશુઓને સંહાર થઈ રહ્યો છે, માર્ગમાં માછલીઓ વેચાઈ રહી છે. પશુઓ પર કૂરતા છે અને નિર્બળાનું શેષણ છે. આપણી માનવતા જ જાણે મરી ગઈ હોય એવી પ્રતીતિ થાય છે. આપણું ખાવામાં, - આપણું વસ્ત્રોમાં, આપણા સાબુમાં, ચારે બાજુ હિંસાનું પ્રદર્શન થઈ રહ્યું છે. આપણી આઝાદી શું લાવી ? હિંસા જ લાવી કે બીજુ કાંઈ? મિત્રે, વિચાર કરવાની આ વાત છે. હું જાણું છું કે આ વાત દર્દ ઉત્પન્ન કરે છે. ક્રિયાકાંડની મૂછનામાં આપણે સત્યને ભૂલવા ઈચ્છીએ છીએ, પણ ભૂલવાથી તે વાત દૂર
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy