SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણની ખાસ [૨૧] અને જ્યારે સ્ટીમથી ન્જિન તૈયાર થાય છે પછી એ હજારો ટનના બેજાને તાણ શકે છે. - સ્વસ્થ માણસનું મન એ સ્ટીમ જેવું છે, વરાળ જેવું છે. એ સંસારના ગમે એવા બેજાને, ગમે એવા ભારને, ગમે એવાં દુઃખને, ગમે એવી વિપત્તિને ગમે એવાં કષ્ટોને, અને ગમે એવાં આક્રમણને પણ એ હસતાં હસતાં સહન કરી શકે છે, કારણકે એના મનની શકિત પામરતાને કારણે પડી નથી ગઈ, પણ એને એણે પિતાની સ્વસ્થતાને કારણે સબળ રાખી છે. સંસારમાં તમને એક પણ સંત નહિ જડે કે જેના પર દુઃખને ભાર, વિપત્તિનાં વાદળ અને આક્રમણને આતશ ન આવ્યો હોય. આવે જ છે. એ બધું એમણે સહન કર્યું એટલે જ એ સંત બન્યા. એમણે જે સહન કર્યું ન હેત તે એ સંત બની શકત જ નહિ. અને એ બતાવી આપે છે કે જેમ જેમ તમારામાં સહન કરવાની શક્તિ આવે છે તેમ તેમ તમારામાં સંતપણું આવતું જાય છે. - ઘણા ભકતે, ખાસ કરીને ધર્મ કરનારા માણસો ફરિયાદ કરતા હોય છેઃ “અમે રેજ મંદિરમાં જઈએ છીએ, રોજ કથા સાંભળીએ છીએ છતાં ભગવાન અમારે ત્યાં દુઃખ શું કરવા મેકલે છે? હું કહું છું કે તમે સારા બન્યા છે, ભકત થયા છો એમ કહે છે તે તમે પિલા તે નથી ને એ | તપાસવા દુઃખ આવે છે. બેટા માણસ અંદર ઘસી ન જાય તે માટે દુઃખની કસોટી પર તમારી પરીક્ષા થાય છે. * અને કેઈવાર પિત્તળ પણ પિતાને સેનું ગણાવીને અંદર ઘૂસી જાય તે સોનીનું કામ છે કે એ એને તેજાબમાં
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy