SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મને ધર્મ અને તત્વજ્ઞાન ના 35 gi તેથી ઉલટું જ કરતો હોય છે, દુરાચાર આદરતો હોય છે. પરંતુ, એના વિચારો જયાં સુધી સારા રહેશે, ત્યાં સુધી પોતાના દુરાચાર વિષે એ માણસ જાગ્રત રહે તથા પોતાની કુટેવો અને દુર્બળતાઓમાંથી મૂક્ત થવા માટે સતત ચિંતનશીલ અને - અથવા પ્રયત્નશીલ રહે એ સંભવ રહેવાનો છે. - આચાર કરતાં વિચારનું મહત્ત્વ વધારે છે એવું તેથી ન માનશો. સારા વિચારો જેમ વર્તનને સુધારી શકે છે, તેવી જ રીતે સારૂં આચરણ વિચારને પણ ઉંચી કક્ષા ઉપર લાવી શકે છે. એ જ ન્યાયે ખરાબ વિચારો જેમ વર્તનને બગાડી મૂકે છે, તેમ ખરાબ વર્તન વિચારોનેય અધોગતિએ પહોંચાડે છે. આમ આ બંનેનો પરસ્પર સંબંધ એક સરખું મહત્ત્વ ધરાવે છે. - હવે, એક એવા માણસનો વિચાર કરો, જે કોઈ દેવને પ્રસન્ન કરવાનો વિચાર કરે છે. એનો હેતુ દુન્યવી ભૌતિક સુખોને પ્રાપ્ત કરવાનો હોય છે. એને કોઈએ કહ્યું કે “મનુષ્યનો ભોગ ધરવાથી અમુક દેવ પ્રસન્ન થઇને ઇચ્છિત વસ્તુ આપે છે. એ વાતને, સ્વાર્થથી અંધ બનેલો તે માણસ, સુવિચારની એરણ ઉપર ચડાવ્યા વિના જ માની લે છે અને તે મુજબ વર્તન કરે છે. આજના જાગ્રત અને સુસંસ્કૃત કહેવાતા યુગમાં પણ આવું બનવું અસંભવિત નથી. બાળકની-સંતાન પ્રાપ્તિની-ઇચ્છાવાળા માબાપ બજાના બાળકોને ડામ દે છે અને હણી પણ નાંખે છે, એવી વાતો વર્તમાનપત્રોમાં અને ન્યાયની અદાલતોમાં હજુ આજે પણ આપણને જોવા મળે છે. ને એ રીતે આચારભ્રષ્ટ થનારની દશા શું? શરાબી, માંસાહારી, જાગારી, ચોર અને ગુનેગાર બનવાનો માર્ગ, આવા લોકો માટે ઝડપભેર ખૂલ્લો થઈ જાય છે. આ રીતે આચારભ્રષ્ટ થવાથી કેવાં માઠાં પરિણામો આવશે એનો ખ્યાલ સ્વાર્થવિવશ માણસોને ભાગ્યે જ આવતો હોય છે. જરા મધ્યમ કક્ષાની વાત કરીએ તો, પોતાના સ્વાર્થી હેતુને બર લાવવા માટે કોઈ “સાહેબ”ને લાંચરૂશ્વત યા બીજા કોઈ માર્ગે ખુશ કરવાના પ્રયાસો સમાજના ઉપલા થરના ને પ્રતિષ્ઠિત માણસો પણ કરતા હોય છે. વિવેકથી જરા પણ ચૂક્યા તો એના પરિણામો કેવાં આવે છે એનો વિચાર ભાગ્યે જ લોકો કરતા હોય છે. આ બાબતમાં શ્રી ભર્તુહરિએ એમના નીતિશતકમાં એક શ્લોકમાં ગંગા નદીનું દષ્ટાંત આપ્યું તે બહુ સમજવા જેવું છે. એ શ્લોકનું તાત્પર્ય આવું છે : પડીને સ્વર્ગેથી શિવ શિર જટા સ્પર્શ કરીને, સરી પર્વત પરથી ભૂમિતલ રજે ગ્લાન બનીને; જાઓ ગંગા ચાલી લવણજળના સિધુ માંહે, . વિવેક ચૂક્યા તો પતન પણ એવું શતમુખે.”
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy