SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દા.ત. એક વર્ગનાં વિદ્યાર્થીઓ છૂટા છૂટા ફરતાં હોય ત્યારે એને વર્ગ (ક્લાસ) ન કહેવાય પણ જ્યારે એમનાં વર્ગમાં એક સાથે બેસીને અભ્યાસ કરતાં હોય ત્યારે એમનો એ વર્ગ (ક્લાસ) કહેવાય છે. એવી રીતે નમતિની પદસંજ્ઞા થાય પછી “તે નમસ્કાર કરે છે” તેવો અર્થ નીકળશે આથી અર્થની દૃષ્ટિએ પણ પદ સંજ્ઞા કરવી ઘણી જરૂરી છે. પ્રશ્ન - ૬ સાધનિકાની અંદર પદ કયારે બનાવવાનું ? ઉત્તર - ૬ ક્યારેક સાધનિકા તૈયાર થયા બાદ પદ બનાવાય છે ક્યારેક પદ સંબંધી કાર્યો કરવાનાં હોય છે ત્યારે પ્રત્યય લગાડ્યા બાદ તરત જ પદ બનાવાય છે. દા.ત. નમતિ આખું રૂપ થઈ ગયા બાદ પદ સંજ્ઞા કરવામાં આવે છે. તથા વસુ, પ્રત્યય લગાડીને સાધનિકા કરવી હોય ત્યારે પહેલા પદ બનાવવું, અને પછી હું નો શું અને સ્નો વિસર્ગ કરાય છે. માટે ત્યાં પહેલા પદ સંજ્ઞા કરાય. તે પ્રશ્ન - ૭ કોઇપણ રૂપની સાધનિકા કેવી રીતે કરવી ? ઉત્તર - ૭ સૌ પ્રથમ તે રૂપનો પરિચય આપવો. પછી પ્રત્યય લગાડવો.. ધાતુપ્રત્યય, ત્યારબાદ વિકરણ પ્રત્યય લગાડવો ધાતુ + વિકરણ + પ્રત્યય, ત્યારબાદ પદ બનાવવું. જેથી ધાતુ + વિકરણ+ પ્રત્યય + પદસંજ્ઞા, પછી પદને અંતે થતાં ફેરફારો... આ પ્રમાણે રૂપ તૈયાર થાય છે. પછી આખ રૂપ તૈયાર થયા બાદ તેનો અર્થ લખવો. દા.ત. નમક ની સાધનિક નમામિનમ્ ધાતુ, કર્તરિપ્રયોગ, વર્તમાનકાળ ૧લો ગણ, પરમૈપદ પહેલો પુરુષ એ.વ. • ક્રિયાને જણાવનાર શબ્દને ક્રિયાવાચકશબ્દ કહેવાય છે. અહીં નમ્ એ નમવાની ક્રિયાને જણાવતો હોવાથી નમ્ એ ક્રિયાવાચકશબ્દ કહેવાય છે. • ક્રિયાવાચકશબ્દને ધાતુ કહેવાય છે. અહીં નમ્ ક્રિયાવાચકશબ્દ હોવાથી તેને ધાતુ કહેવાય માટે નમ્ એ ધાતુ થયો. • વર્તમાનકાળને જણાવવા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યયો લગાડાય છે. • પરમૈપદી ધાતુઓને પરસ્મપદ પ્રત્યયો લાગે છે. તેમાં . • તિ વિગેરે વિભક્તિના પ્રત્યય લાગતાં ધાતુને 1 વિકરણ પ્રત્ય - લાગે છે. નમ્ + 1 + fમ | ૩૩
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy