SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન - ૫ નિ.પ શા માટે ? ઉત્તર - ૫ ક્રોધ વિ. અર્થવાળા ધાતુનાં યોગમાં જેના ઉપર ગુસ્સો આદિ થવાના હતાં તેને ઉપરનાં નિયમથી ચતુર્થી થવાની હતી. તેમાં અપવાદ કર્યો. જો ધાતુ ઉપસર્ગસહિત હોય તો ચતુર્થી ન કરવી. એટલે દ્વિતીયાવિભક્તિ થશે. આ રીતે ચતુર્થીવિભક્તિ (સંપ્રદાન)નાં અપવાદભૂત આ નિયમ થયો. પ્રશ્ન - ૬ અપવાદ-ઉત્સર્ગ એટલે શું ? ઉત્તર - ૬ સામાન્યથી કરાયેલી વાત તે ઉત્સર્ગ કહેવાય... તેનું ક્ષેત્ર વિશાળ હોય છે. વિશેષતાથી કરાયેલી વાત તે અપવાદ કહેવાય તેનું ક્ષેત્ર ઓછું હોય.. દા.ત. પા. ૮ નિ.૨ છે-છે-મો-સૌ પછી. કોઈપણ સ્વર આવે તો –ો-મો-ૌ નો અનુક્રમે –ગા--આવું થાય... આ નિયમ ઉત્સર્ગ નિયમ કહેવાય સામાન્યથી વાત કરેલ હોવાથી હવે પદાન્ત U–ો પછી આવે તો એ લોપાય છે (પા.૧૮.નિ.૨.) આ નિયમ અપવાદભૂત કહેવાય. પેલો પા.૮.નિ.૨ પદ-અપદમાં બધેય લાગતો હતો.... વળી આ હોય એવું નહીં પણ ચૌદ સ્વર પર છતાં લાગતો હતો એટલે તેનું ક્ષેત્ર વિશાળ હતું. જ્યારે પા. ૧૮.નિ.૨. પદાન્તમાં – હોય પછી માત્ર એ આવેલો હોય તો જ લાગે... આમ ક્ષેત્ર (નિયમ લાગવાની શક્યતા) એકદમ ઓછું થઈ ગયું માટે તેને અપવાદનિયમ કહેવાય પ્રશ્ન - ૭ અપવાદ-ઉત્સર્ગ બન્ને નિયમ લાગવાની શક્યતા હોય ત્યાં શું કરવું ? ઉત્તર - ૭ અપવાદ-ઉત્સર્ગ બન્ને નિયમ લાગવાની શક્યતા હોય જ નહીં... કદાચ એવું લાગે તો પણ અપવાદ નિયમ જ લાગે.... ઉત્સર્ગ નિયમ ન લગાડી શકાય... કેમકે અપવાદ નિયમનું ક્ષેત્ર એકદમ ઓછું છે જો તેને મહત્તા (પ્રધાનતા) ન આપીએ તો તે અપવાદ નિયમ બનાવ્યાની સાર્થકતા જ રહે નહીં. માટે અપવાદ નિયમ ને પ્રધાનતા આપી તે જ પહેલા લગાવવો નમૂ+++ગતિ અહીં પા.૧૭.નિ.૩ લગાવીને દીર્ઘ કરવું એ ઉત્સર્ગ... અને પા.૪.નિ.૧થી . નો લોપ કરવો તે અપવાદ... જો દીર્ઘ - ૧૧૮
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy