SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી વીશસ્થાનક તા. આ પ્રમાણે પોતાની કથની ધનદેવે મદનશ્રેષ્ઠીને કહી. તે બન્ને સંસારથી વૈરાગ્યવાળા થયાં. તેવામાં અમારું આગમન સાંભળી. દેશના સાંભળવા અમારી પાસે આવ્યાં અને દેશનાના અંતે સંવેગ પામી ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગનું અધ્યયન કરી, નિર્મળ ચારિત્રનું પાલન કરવા લાગ્યાં છે. હે રાજનું! તેં જે બે મુનીઓને માર્ગમાં ઉભેલા જોયા. તે જ તે બે મહાભાગ છે.” રાજા કહે છે કે હે પ્રભો ! આપે શા કારણથી યૌવનાવસ્થામાં દીક્ષા લીધી? ગુરુ કહે છે કે “હે રાજનું ગૃહસ્થાવસ્થાવાસમાં છ કાય જીવોની હિંસા થાય છે. એક વખત સ્ત્રીસંભોગથી સ્ત્રીની યોનિમાં ૧૨ ઘડીમાં ૨ થી ૯ લાખ ગર્ભ પંચેન્દ્રિય, અસંખ્યાતા બેઈન્દ્રિય જીવો અને સમુશ્કેિમ જીવોની હિંસા થાય છે. પાપ આરંભ અને હિંસાથી બચવા મેં દીક્ષા લીધી.” આ પ્રમાણે ગુરુમુખે દેશના સાંભળી ચંદ્રવર્મા રાજા પ્રતિબોધ પામ્યો. પોતાનાં પુત્ર ચંદ્રસેનને રાજ્યસન પર આરુઢ કરી તેણે મહોત્સવપૂર્વક ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગનું અધ્યયન કરી શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યાં. એક દિવસ ગુરુમુખે વીશસ્થાનકનો મહિમા સાંભળ્યો. તેમાંય બારમા સ્થાનક શીલવ્રતનો અનન્ય મહિમા જાણીને તે રાજર્ષિ મુનિ ત્રિકરણ શુદ્ધ, નવવાડ યુક્ત શીલવ્રત પાળવા લાગ્યાં. કોઈ સ્ત્રીની સામે દૃષ્ટિને ટાળતાં, સ્ત્રી સંબંધી વર્ણન કથા વાર્તાનો પણ ત્યાગ કરી સ્થિર ચિત્તથી શીલ પાળવા લાગ્યાં. એક દિવસ દેવસભામાં ઈન્દ્ર તે રાજર્ષિ મુનિના શીલવ્રતની પ્રશંસા કરી. તે સાંભળી વિજયદેવનામે દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે અપ્સરાઓનું વૃંદ વિકુવ્યું. તે બધી હાવભાવ કટાક્ષ કરતી કામોદ્દીપક વાક્યો મુનિને કહેવા લાગી. તો પણ મુનિનું મન જરા પણ શિથિલ થયુ નહીં. છેવટે દેવે પ્રત્યક્ષ થઈ મુનિની સ્તવના કરી. તે દેવે ગુરુ મહારાજને પૂછ્યું કે હે પ્રભો ! રાજર્ષિ મુનિ દ્દઢ શીલવ્રતથી શું ફળ પામશે? ગુરુ મહારાજ કહે - “તે મહાભાગ શીલપ્રભાવથી જિનપદ પામશે.” પછી દેવ ગયો. અનુક્રમે ચંદ્રવર્મા મુનિ કાળધર્મ પામી બ્રહ્મલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં તીર્થકર પદ પામી અક્ષય સુખના ભોક્તા થશે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy