SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ 859 –– ૨૯ઃ સંસારની અરુચિ અને મોક્ષની રૂચિ - 29 – ૩૫૯ કર્મના યોગે દુનિયામાં શાહુકારી નહિ સાચવી શકેલા પણ, અહીં શાહુકારી સાચવી શકે છે, અને એવા આત્માઓ સંસારસાગર તરી જાય છે. ધર્મના નામે કોઈ ઠગાય તો પણ શાસ્ત્ર કહે છે કે, “એ પામી ગયો, પણ ઠગાયો નથી.” વેશ્યાએ ધર્મને બહાને શ્રી અભયકુમાર જેવા બુદ્ધિના નિધાનને પણ ઠગ્યા હતા. લેવા મોકલનાર રાજાએ પણ કહ્યું કે, “ધર્મના બહાને ઠગવું એમાં કશી જ મોટી વાત નથી. ધર્મી ધર્મના બહાને ઠગાઈ પણ જાય, કારણ કે, ત્યાં જિંદગી સમર્પ છે. ધર્મના પાલક કાંઈ ધર્મીના રૂપ-રંગને નથી જોતા, પણ ધર્મ જુવે છે. છ ખંડના ચક્રવર્તી પણ ગઈકાલનો કઠિયારો પણ જો પ્રભુના સંયમમાર્ગને પામ્યો હોય તો તેના પગમાં પોતાનું મસ્તક મૂકે છે; આથી સ્પષ્ટ જ છે કે, આ શાસન કાંઈ એકલા રાજા-મહારાજાઓ કે શેઠ-શાહુકારોનું જ નથી, પણ સર્વ કોઈ મુમુક્ષુનું છે. જ્ઞાનીઓએ સ્પષ્ટ રીતે ફરમાવ્યું છે કે, રાજ્ય આદિને પાપ માનો તો અહીં આવો; જ્યાં બેઠા છો તે ખોટું લાગતું હોય અને પાપરૂપ લાગતું હોય તો આવો ! જેને જ્યાં બેઠો. તે મીઠું લાગે તેને આ ન ગમે. ભવાભિનંદીને શ્રી વીતરાગનું શાસન પણ ન ગમે, એવાઓને તો આજે પાપ શબ્દ પણ પાગલ બનાવ્યા છે. ધર્મીઓ જે પાપ શબ્દથી કંપે છે, તે જ પાપ શબ્દ સામે એ કારમું હાસ્યઅટ્ટહાસ્ય કરે છે અને ઉપરથી કહે છે કે, ઘેલાઓ પાપ પાપ કરે છે; કઈ સદીમાં જન્મ્યા છે કે જેથી વાત વાતમાં પાપની વાત કરે છે ? એવાઓને આપણે કહીએ છીએ કે, “વીસમી સદીમાં જન્મ્યા છીએ અને આયુષ્ય હશે તો એકવીસમી સદી સુધી પણ જીવશું; તે પણ તમારા કરતાં સારી રીતે જીવશું; તમારા જેવી કંગાલિયતથી તો નહિ જ જીવીએ, કારણ કે, પાપને પાપ માનનારો જે રીતે જીવે છે, તે રીતે પાપને પાપ નહિ માનનારો કદી જીવ્યો નથી, અને જીવશે પણ નહિ.” અનંતજ્ઞાનીઓએ પાપ કહ્યું એની ઠેકડી કરનાર પહેલા નંબરના નાસ્તિક છે અને એથી જ તેઓ આ મનુષ્યલોકમાં ભારભૂત છે. | લાખ કે કરોડ જેને ત્યાં હોય, જેને ત્યાં ચાર મોટર ભાંગે અને આઠ નવી આવે, એટલા ઉપરથી તેને આપણે સુખી ન જ માની લઈએ, કારણ કે, એવાઓને માથે તો ત્રાસની ઝડીઓ વરસતી હોય છે. પાઘડીમાં ઢંકાય, મોટરમાં છુપાય, નાસભાગ કરે અને “હું શેઠ ! હું શેઠ !એવો જેઓને મેનિયા થયો હોય, તેઓ ભલે બોલે કે, “અમે સુખી છીએ” બાકી એ ખરેખર સુખી નથી એ તો ખાતરીપૂર્વકની વાત છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy