SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર વ્યાઘાતદોષ આવે એમ અદ્વૈતવેદાન્તીનું કહેવું સંગત નથી. વિષય પરંપરાભાવે જ્ઞાત હોવા છતાં સાક્ષાત્માવે અજ્ઞાત છે એ રીતે જ્ઞાત વસ્તુને જ અજ્ઞાત સ્વીકારવામાં વ્યાઘાતદોષ થતો નથી. સાક્ષાત્માવે અજ્ઞાત પણ પરંપરાભાવે જ્ઞાત એમ કહેવામાં વ્યાઘાતદોષ ક્યાં છે ? વ્યાઘાતદોષ થાય છે એમ માની અદ્વૈતવેદાન્તી જ્ઞાનાભાવવિલક્ષણ અજ્ઞાનને સ્વીકારે છે. આની સામે ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ કહે છે. ન્યાયામૃતકારનો ઉપર્યુક્ત તર્ક અયોગ્ય છે. કેમ ? કારણ કે ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનો અભાવ છે એમ માનવામાં વ્યાધાતદોષ અપરિહાર્ય છે. ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ પ્રમાજ્ઞાનનો અભાવ જાણવા માટે એ અભાવના પ્રતિયોગી દુક્દાર્થવિષયક પ્રમાજ્ઞાનને સાક્ષાત્ જાણવું પડે છે. પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન થઈ શકતું નથી. તેથી ત્વદુક્તાર્થવિષયક પ્રમાજ્ઞાનનું સાક્ષાત્ જ્ઞાન આવશ્યક છે, કારણ કે પ્રતિયોગિજ્ઞાન અભાવજ્ઞાનનું કારણ છે. આ પ્રતિયોગિજ્ઞાનનો વિષય છે ત્વદુક્તાર્થવિષયક પ્રમાજ્ઞાન. અને આ પ્રમાજ્ઞાનનો વિષય છે ત્વદુક્તાર્થ. તેથી ત્વદુક્તાર્થવિશેષિત પ્રમાજ્ઞાનનું જ્ઞાન થવામાં ત્વદુક્તાર્થવિષયક જ્ઞાન પણ અપેક્ષિત છે. સર્વત્ર વિષયનિરૂપિત જ્ઞાનમાં વિષય વિશેષણરૂપે ભાસે છે. અને વિશેષણીભૂત વિષય અજ્ઞાત હોય તો અજ્ઞાત વિશેષણથી વિશેષિત જ્ઞાનનું જ્ઞાન થઈ શકે નહિ. તેથી ત્વદુક્તાર્થથી વિરોષિત જ્ઞાનનો અભાવ જાણવામાં ત્વદુક્તાર્થનું સાક્ષાત્ જ્ઞાન અપેક્ષિત છે. ત્વદુક્તાર્થને સાક્ષાત્માવે ન જાણીએ તો ત્વદુક્તાર્થવિરોષિત જ્ઞાનનો અભાવ પણ જાણી શકાય નહિ. ત્વદુક્તાર્યવિષયક સાક્ષાત્ જ્ઞાન ન હોય તો ત્વદુક્તાર્થવ્રિષયજ્ઞાનનું જ્ઞાન પણ સાક્ષાત્ અર્થાત્ સાક્ષીરૂપ બની શકે નહિ. સાક્ષી વિદ્યમાન વિષયનો જ ગ્રાહક બને છે. જેને જે વિષયનું જ્ઞાન વિદ્યમાન નથી, તેનું તે વિષયનું અવિધમાન જ્ઞાન સાક્ષી દ્વારા પ્રકાશિત થતું નથી. તેથી ત્વદુક્તાર્થવિષયકજ્ઞાનનું સાક્ષાત્ અર્થાત્ સાક્ષીરૂપ જ્ઞાન થવામાં ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાન પણ કારણરૂપે અપેક્ષિત જ છે. પરંતુ ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાનને સ્વીકારવામાં આવે તો ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનો અભાવ વ્યાઘાતદોષથી અવશ્ય દૂષિત થાય. `` જ્ઞાનાભાવવાદી નીચે પ્રમાણે દલીલ કરે છે. ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાનનો અભાવ મને નથી પણ અન્યને છે. ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાનનો આ અન્યનિષ્ઠ અભાવ મારામાં છે. અને આ અભાવનું પ્રત્યક્ષ જ સાક્ષાત્ ‘ત્વદુક્તાર્થને હું જાણતો નથી’ એ રૂપે થાય છે. અદ્વૈતસિદ્ધિકાર આની સામે નીચે પ્રમાણે જણાવે છે. જ્ઞાનાભાવવાદીએ ઉપર જે દલીલ કરી તે તદ્દન અયોગ્ય છે. અન્યનિષ્ઠ જ્ઞાનાભાવ દ્વારા જો ‘હું જાણતો નથી (ન જ્ઞાનામિ)' એ પ્રતીતિ થઈ શકતી હોય તો ન્યાયમતસિદ્ધ સર્વજ્ઞ ઈશ્વરને પણ ‘હું જાણતો નથી’ એવી પ્રતીતિ થવાની આપત્તિ આવે. ઈશ્વર સર્વજ્ઞ હોવા છતાં અન્યનિષ્ઠ જ્ઞાનાભાવ ઈશ્વરમાં છે. વળી, એક વાત એ કે અન્યનિષ્ઠ જ્ઞાનનો અભાવ મારામાં છે એવું સ્વીકારીએ તો પણ એ અભાવના પ્રતિયોગી અન્યનિષ્ઠજ્ઞાનનું જ્ઞાન હોવું આવશ્યક છે. એ સિવાય અભાવનું જ્ઞાન ન થઈ શકે. અને અન્યનિષ્ઠજ્ઞાનને જાણવું હોય તો શબ્દાદિ પ્રમાણ દ્વારા જ જાણી શકાય. ત્વદુક્તાર્થવિષયક . અન્યનિષ્ઠજ્ઞાન શબ્દાદિ દ્વારા જાણીએ તો જે શબ્દ (વાક્ય) વ્રુદુક્તાર્થવિષયક અન્યનિષ્ઠજ્ઞાનનો ખોધક બને તે જ શબ્દ ત્વદુક્તાર્થનો પણ બોધક બને. ત્વદુક્તાર્થનો ખોધક બન્યા વિના શબ્દ ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનો બોધક બની શકે જ નહિ. શબ્દ ત્વદુક્તાર્થવિષયક બોધ ઉત્પન્ન કર્યા પછી જ ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનો બોધ ઉત્પન્ન કરી શકે. તેથી શબ્દાદિ પ્રમાણ દ્વારા
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy