SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષની મુખ્યતા ૧૫ जं न लहइ सम्मत्तं लटूण वि जं न एइ संवेगं । - વિજયસુલુ ય ર, તો તોલો રાગોલા ૧૨૪માં અર્થ–“આ જીવ જે સભ્યત્વને પામતો નથી, સમ્યકત્વ પામ્યા છતાં પણ જે સંવેગને પામતો નથી અને વિષયસુખ જે શબ્દાદિ તેમાં જે રક્ત થાય છે તે બધો રાગદ્વેષનો જ દોષ છે.” તેથી દોષના હેતુ એવા રાગદ્વેષ જ તજવા યોગ્ય છે. અહીં સંવેગ એટલે વૈરાગ્ય, સંસારથી ઉદાસીન ભાવ અને મોક્ષનો અભિલાષા સમજવો. तो बहुगुणनासाणं सम्मत्त चरित्त गुणविणासाणं । न हु वसमागंतव्वं, रागहोसाण पावाणं ॥१२५॥ અર્થ-“તે માટે બહુ ગુણનો નાશ કરનાર અને સમ્યકત્વ તે શુદ્ધ શ્રદ્ધાન, ચારિત્ર તે પંચામ્રવનિરોઘ અને ગુણ તે ઉત્તરગુણ તેનો વિનાશ કરનાર એવા રાગદ્વેષરૂપ જે પાપ તેને વશ નિશ્ચયે ન થવું.” न वि तं कुणइ अमित्तो सुट्ट वि सुविराहिओ समत्थो वि। जं दोवि अणिग्गहिया करंति रागो य दोसो य ॥१२॥ અર્થ–“જેવો અનર્થ નિગ્રહ નહીં કરેલા (નહીં રોકેલા) એવા રાગ અને દ્વેષ એ બન્ને કરે છે તેવો અનર્થ અતિશય સારી રીતે વિરાઘેલો અને સમર્થ એવો અમિત્ર એટલે શત્રુ પણ કરી શકતો નથી.” અર્થાત્ શત્રુ તો વિરાધ્યો તો એક ભવમાં.મરણ આપે, પણ રાગ દ્વેષ તો અનંતા જન્મ મરણ આપે. માટે રાગ દ્વેષ જ તજવા યોગ્ય છે. વળી રાગદ્વેષના ફળ કહે છેછે. હોલાયા, નસંરતિ ગુવિધારા पसवंति अ परलोए, सारीर माणोगए दुक्खे ॥१२७॥ અર્થ–બ(રાગદ્વેષ) આ લોકમાં આયાસ એટલે શરીર ને મન સંબંધી ફ્લેશ તથા અપયશ અને જ્ઞાનદર્શનચારિત્રરૂપ ગુણનો વિનાશ કરે છે અને પરલોકમાં શરીર સંબંધી ને મન સંબંધી દુઃખો પ્રસરે છે, આપે છે; અર્થાતું રાગદ્વેષ નરકતિર્યંચ ગતિના આપનાર હોવાથી તેમજ અનર્થના મૂળ હોવાથી પરલોકમાં પણ અનેક પ્રકારનાં દુઃખો પ્રાપ્ત થાય છે.” કિશો ગવર, ગં ગાળતો વિ રાતિહિં . फलमउलं कडुअरसं, तं चेव निसेवए जीवो ॥१२८॥ અર્થ–“અહો! મહા આશ્ચર્યકારી આ અકાર્ય છે! ધિક્કાર છે, ધિક્કાર છે . આ જીવને જે આ રાગ દ્વેષને (મહા અનર્થકારી છે એમ) જાણતો સંતો અને તેનાં
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy