SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ : 66 સંયંમની આરાધનામાં સ્ખલના થતી હતી ત્યારે “તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી’ વગેરે મધુર શબ્દોથી પ્રેરણા કરી, પ્રતિષોતિઃ = વારંવાર બચાવ્યો - પ્રેરણા આપી, પિયત્તા મમ પ્રતિોવના = આપની વારંવારની તે પ્રેરણા (ઉપલક્ષણથી શિક્ષા, સેધાનાદિ બધું) મને પ્રીતિકર બની છે. એથી જ ૩પસ્થિતોઽહમ્ (અમ્યુસ્થિતોઽહમ્) = તે તે વિષયોમાં ભૂલો સુધારવા ઉદ્યમી થયો છું. યુષ્મા તપતેનઃશ્રિયા = આપનાં તપના તેજરૂપી લક્ષ્મીથી, રૂત: ચાતુરન્તાત્ સંસારન્તારાત્ સંસ્ક્રૃત્ય. નિસ્તરિામિ = આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અતિદુર્ગમ અટવીમાં (કષાયો,'ઇન્દ્રિયો અને યોગો વગેરેથી ફસાયેલા મારા આત્માનું) હું સંહ૨ણ કરીને અટવીને ઉલ્લંઘી જઈશ. તિા = એ હેતુથી, શિરસા મનસા મસ્તન વામિ = શિરથી, મનથી, (ઉપલક્ષણથી વચન દ્વારા) આપને મસ્તકવડે વાંદું છું. ત્યારે ગુરુ કહે છે કેનિસ્તારાઃ = તમે સંસાર સમુદ્રથી અન્ય જીવોનો અથવા તમે કરેલી પ્રતિજ્ઞાઓને નિર્વાહ કરનારા અને પારઃ = સંસાર સમુદ્રથી પાર પામનારા મવત = થાઓ. (૪) આ રીતે પ્રતિક્રમણના પ્રસંગને અનુસારે એ શેષ કહેવા યોગ્ય કહીને હવે પ્રતિક્રમણ પછીનું કર્ત્તવ્ય જણાવે છે કે (મૂળ શ્લોક-૯૮માં કહેલો) lXs: = પ્રતિક્રમણ પછી “પ્રાદોષિક કાલગ્રહણ કરવું' તે સાપેક્ષ યતિધર્મ છે. આ પ્રોદોષિકને વ્યાઘાતિક (વાઘાઈ) પણ કેહવાય છે. આ પ્રાદોષિક કાલગ્રહણ લેવાનો સમય તારાત્રયેક્ષળે = આકાશમાં ત્રણ તારા દેખાય ત્યારે સમજવો, પણ આનો અર્થ એમ નથી કે ત્રણ તારા ન દેખાય ત્યારે ન લેવું, પરંતુ ત્રણ તારાઓના દર્શનથી ઓળખાતો શાસ્ત્રોક્ત કાળ તે પ્રાદોષિક કાલગ્રહણનો સમય જાણવો. અને તેથી વર્ષાઋતુમાં વાદળાદિના કારણે તારા ન દેખાય, તો પણ તેની વેળાએ પ્રાદોષિક કાળગ્રહણ થઈ શકે. કાલગ્રહણનો વિધિ “શ્રી પ્રવ્રજ્યા યોગાદિ વિધિસંગ્રહ” માંથી જાણી લેવો. કાલગ્રહણ પછી (તે શુદ્ધ આવ્યું હોય તો) અંગ-ઉપાંગ શ્રુતનો વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો તે સાપેક્ષ યતિધર્મ છે II૯૮ બીજી રીતે પણ રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ કરી શકાય છે, તે બતાવતાં કહે છે કે मूलम् - साधुविश्रामणाद्यैश्च, निशाद्यप्रहरे गते । गुर्वादेशादिविधिना, संस्तारे शयनं तथा ।। ९९ ।। ગાથાર્થ : સાધુ (આચાર્યાદિની) વિશ્રામણા વગેરે કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થાય ત્યારે ‘ગુરુની પાસે આદેશ માંગવો' વગેરે વિધિપૂર્વક સંથારામાં શયન કરવું તે, સાપેક્ષ યતિધર્મ છે.”
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy