SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨. પદર્શન છે. રજોગુણ પ્રબળ હોય છે ત્યારે તેના આ ધર્મને લઈને જ હવા વહે છે, ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે અને મન ચંચળ થઈ જાય છે. સત્ત્વગુણ અને રજોગુણ જગતનાં કાર્યોની શૃંખલા જાળવવા અસમર્થ છે, કારણ કે ક્રિયાશીલ પ્રવર્તક રજોગુણ અને કાર્યતત્પર સત્ત્વગુણ એકત્ર મળવાથી સત્ત્વગુણનાં બધાં જ કાર્યો એક સાથે જ થઈ જાય અને ક્રમ રહે નહિ. એટલે જ જરૂર પડે છે નિયામક તમોગુણની. અગ્નિની ઊર્ધ્વગતિ હોવા છતાં તે આકાશ સુધી પહોંચી શકતો નથી. અહીં ગુરુત્વધર્મયુક્ત તમોગુણ તેની ઊર્ધ્વગતિનું નિયંત્રણ કરે છે. ગુરુત્વ ધર્મ કાર્યતત્પરતાનો અને ઊર્ધ્વગતિનો પ્રતિબંધક છે. સત્ત્વગુણ અને રજોગુણનાં બધાં કાર્યોની બાબતમાં તમોગુણ આવી રીતે બાધા પેદા કરે છે. એટલે જ્યારે સત્ત્વગુણ કે રજોગુણ પ્રબળ હોય છે ત્યારે તમોગુણની બાધાને પાર કરી પોતપોતાનું કાર્ય કરવા તે સમર્થ બને છે. એટલે અગ્નિનું ઊર્ધ્વગમન થાય છે, અન્યથા એ પણ થાય નહિ. તમોગુણનો ધર્મ આવરણ છે. તેથી તેના પ્રાબલ્યથી પ્રકાશ કે જ્ઞાન આવરિત થાય છે. તમોગુણ ભારે અને અવરોધક હોવાથી નિદ્રા, તન્દ્રા યા આળસનો જનક છે. ગુણો પરસ્પરનો અભિભવ કરનારા (કોચાઈ જમવંવૃત્ત) છે. પુરુષના ધર્મધર્માનુસાર તેને સુખ આદિરૂપ ફળ આપવાને અર્થે જ્યારે ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણ સ્વકાર્યજનનો—ખ, પ્રકટ, ઉદ્ભૂત યા પ્રધાન બને છે ત્યારે બાકીના બેને તે દબાવે છે, અભિભૂત કરે છે. ત્રણેય ગુણો એક સમયે તુલ્યબલવિશિષ્ટ હોતા નથી. જ્યારે સત્ત્વગુણ પ્રબળ બને છે ત્યારે તે રજોગુણ અને તમોગુણને અભિભૂત કરીને પોતાનો શાન્તધર્મ પ્રગટ કરે છે. એ જ રીતે, રજોગુણ પ્રબળ થતાં તે તમોગુણ અને સત્ત્વગુણને અભિભૂત કરી પોતાનું ઘોરરૂપ પ્રગટ કરે છે. કેટલીક વાર તમોગુણ પ્રબળ બની સત્ત્વગુણ અને રજોગુણને અભિભૂત કરી પોતાનું મૂઢરૂપ પ્રગટ કરે છે. કોઈ પણ વિષયવસ્તુ એકાન્તભાવે સુખરૂપ, દુઃખરૂપ કે મોહરૂપ નથી. પ્રત્યેક વિષય ત્રિગુણાત્મક હોઈ સુખદુઃખમોહાત્મક છે. અને ત્રણ ગુણોમાંથી એક પ્રબળ અને બીજા બે ગૌણભાવે રહેતા હોઈ ગ્રાહકભેદે વસ્તુઓ વિભિન્નરૂપે પ્રતિભાસિત થાય છે. ઉદાહરણાર્થ, રૂપયૌવનસંપન્ન નારી તેના પતિને સુખનું કારણ બને છે કારણ કે પતિ પ્રતિ તેનો સુખાત્મક સત્ત્વગુણ પ્રબળ બને છે અને બાકીના બે ગુણો તે વખતે ગૌણભાવ ધારણ કરે છે. તે જ નારી પોતાની શોક્યને દુઃખનું કારણ બને છે કારણ કે શોક્ય પ્રતિ તેનો દુઃખાત્મક રજોગુણ પ્રબળ બને છે અને બીજા બે દુર્બળ થઈ જાય છે. અને તે જ નારીને પ્રાપ્ત ન કરી શકનાર અન્ય પુરુષને તે મોતનું કારણ બને છે. તે પુરુષ પ્રતિ તે નારીનો તમોગુણ પ્રબળ બને છે અને બાકીના બે ગુણો અભિભૂત થઈ રહે છે. અહીં એ પણ ધ્યાનમાં લેવાનું છે કે એક જ નારીને જોતી વેળાએ જોનાર પતિ, શોક્ય અને અન્ય પુરુષના ચિત્તોમાં તે તે ગુણનું પ્રાબલ્ય અને બાકીના બે ગુણોનું દૌર્બલ્ય હોય છે. જ્યારે ગુણ પ્રધાન હોય છે ત્યારે તે વિકારોમાં ઉદ્ભૂત યા અભિવ્યક્ત બને છે અને પરિણામે તેનું અસ્તિત્વ આપણને જણાય છે. જ્યારે ગુણ અપ્રધાન હોય છે ત્યારે તે વિકારોમાં અનુભૂત અર્થાત્ અનભિવ્યક્ત બને છે અને એટલે તેનું અસ્તિત્વ આપણને જણાતું
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy