SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૮ ઉપસંહાર દરેક જીવ દુઃખમુક્તિ વાંછે છે. દુઃખમાંથી છૂટવું હોય તો દુઃખનાં કારણો દૂર કરવાં જોઈએ. દુઃખનાં કારણો બહાર નથી પરંતુ આપણી અંદર છે, આપણા ચિત્તમાં છે. એ કારણો છે રાગ અને દ્વેષ. તેમને દૂર કરવા ચિત્તને વશ કરવું જોઈએ. ચિત્તને વશ કરવા યમ-નિયમનું પાલન અને ધ્યાનાભ્યાસ બંને જરૂરી છે. યમ-નિયમનું સ્વરૂપ શું છે અને ધ્યાનાભ્યાસ કેવી રીતે કરવો એનું વિશદ નિરૂપણ યોગદર્શનમાં છે. યોગદર્શનમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમોની ખૂબ પ્રતિષ્ઠા છે. યમો યોગનો પાયો તો છે જ પરંતુ તે યોંગમાં સમગ્ર રીતે વ્યાપ્ત પણ છે. યોગદર્શને યમોને સાર્વભૌમ ગણ્યા છે. યોગની દરેક ભૂમિકાએ તેમનું પાલન હોવું જ જોઈએ. કોઈ પણ યોગી કોઈ પણ ભૂમિકાએ તેમના પાલનમાંથી છટકી જઈ શકે નહિ. આ દર્શાવે છે કે યમપાલનયુક્ત ધ્યાનાભ્યાસ જ યોગની કોટિમાં આવે જ્યારે યમપાલનવિયુક્ત ધ્યાનાભ્યાસ તો યોગાભાસ જ ઠરે. આ વસ્તુ આપણને ખરા યોગીની કસોટી પૂરી પાડે છે. ધ્યાનાભ્યાસ દ્વારા ચિત્તની એકાગ્રતા કેળવવાથી ચિત્તની ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. યમપાલન કરનાર વ્યક્તિ આ શક્તિઓનો ઉપયોગ લોકોને આંજી પોતાના અહંને પોષવા અને પોતાની દુવૃત્તિઓને સંતોષવા ન જ કરે. એથી ઊલટું યમપાલનની પરવા ન કરનાર વ્યક્તિ આ શક્તિઓનો ઉપયોગ તેને માટે કરે એમાં શું આશ્ચર્ય ? પરંતુ એમાં નથી વ્યક્તિનું કલ્યાણ કે નથી સમાજનું કલ્યાણ. યોગદર્શને કહેલી યમોના સાર્વભૌમત્વની વાત “યોગ'ની વાતો કરનારાઓએ અને યોગીઓ' તરફ આકર્ષાનારાઓએ સતત ધ્યાનમાં રાખવા જેવી છે.
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy