SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २० ષડ્રદર્શન જડ, ઈશ્વર) વચ્ચે શો સંબંધ છે? નિમ્બાર્કનો ઉત્તર છે કે તેમની વચ્ચે સર્વથા તાદાત્મ (અભેદ) સંબંધ નથી, કારણ કે એવો સંબધ માનવાથી એમના સ્વભાવ અને ગુણોના ભેદનો ખુલાસો કરવો અશક્ય બની જાય. વળી, તેમની વચ્ચે સર્વથા ભેદનો સ્વભાવ માનીએ તો ઈશ્વર(બ્રહ્મ)ને જીવ અને જડ જગતથી ભિન્ન માનવા પડે અને પરિણામે ઈશ્વર(બ્રહ્મ)નું આનન્ય જોખમાય. એટલે તેમની વચ્ચે અમુક દૃષ્ટિએ ભેદ અને અમુક દૃષ્ટિએ અભેદ એમ ભેદભેદનો સંબંધ છે. ભેદનો અર્થ એ છે કે જીવ અને જડની પૃથક સત્તા તો છે, પરંતુ તે ઈશ્વરને આધીન છે, અર્થાત્ “પરતત્ર સત્તાભાવી છે. અભેદનો અર્થ એ છે કે તે બંનેની ઈશ્વરથી સ્વતંત્ર સત્તા નથી અર્થાત્ “સ્વતંત્ર સત્તાડભાવ છે. આમ “ભેદ’ અને ‘અભેદ' અર્થાત્ દ્વિત” અને “અદ્વૈત' બંને સાચા છે. " (૧૭) દ્વૈત વેદાન્ત (મધ્વ) મધ્વ સ્પષ્ટ રીતે દ્વૈતવાદી છે અને તે અદ્વૈતનું ખંડન કરે છે. એ બ્રહ્મ, જીવ અને જડ ત્રણેયને નિત્ય સ્વતંત્ર પદાર્થો માને છે અર્થાત્ જીવ અને જડ બ્રહ્મમાંથી ઉત્પન્ન નથી થયા. મધ્યમતને દૈતવાદ કેવળ એટલા માટે કહેવામાં આવે છે કે તે અદ્વૈતને નથી માનતો. મધ્ય ઈશ્વર, જીવ અને જડનો પરસ્પર ભેદ માને છે. તે ઈશ્વરને કર્તા સંહર્તા તરીકે વર્ણવે છે. પરંતુ તે પ્રાણિકર્મસાપેક્ષ કર્તા છે. “ પ્રાર્ટીઓનાં કર્મ અનુસાર તે સૃષ્ટિનિર્માણ કરે છે. મધ્વને મતે જીવો અણુ અને અનંત છે: જીવો સ્વતંત્ર અને નિત્ય હોઈ તેઓ નથી પરબ્રહ્મનો (અર્થાત્ ઈશ્વરનો) પરિણામ કે નથી તેનું કાર્ય કે નથી તેનો અંશ.૦૯ (૧૮) શુદ્ધાદ્વૈત વેદાન્ત (વલ્લભ) વલ્લભ અનુસાર જીવ, જડ અને બ્રહ્મ આ ત્રણમાંથી પહેલા બે (જીવ અને જડ) બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ બ્રહ્મરૂપ જ છે. જીવ અને જડની બ્રહ્મની સાથે એકતા સ્વતઃ છે, શુદ્ધ છે, એમાં “માયા'નો સંપર્ક નથી. શંકરના અદ્વૈતવાદ પ્રમાણે જીવ અને જડ જગત “માયા'ની ઉપાધિથી પ્રગટ થાય છે, જ્યારે શુદ્ધાદ્વૈતમાં જીવ અને જગત બ્રહ્મનો લીલાવિલાસ છે.” ' (૧૯) કાશ્મીર શૈવ દર્શન કાશ્મીરીય શૈવદર્શન પ્રત્યભિશાદર્શનના નામથી પ્રસિદ્ધ છે. આ દર્શન અનુસાર પરમ તત્ત્વ શિવ છે. બીજાં તત્ત્વો તેમાંથી અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્ત તત્ત્વોમાં સાંખ્યનાં પચીસ તત્ત્વોનો એ જ ક્રમમાં સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ ભેદ એટલો છે કે સાંખ્યદર્શન પુરુષ અને પ્રકૃતિને નિત્ય અને સ્વતંત્ર ગણે છે જ્યારે આ દર્શન તેમને અનિત્ય અને પરતંત્ર ગણે છે. બધાં તત્ત્વો પરમશિવને અધીન છે. એકમાત્ર પરમશિવ સ્વતંત્ર છે. તે ચિત્ છે. એમાંથી જ બધાં તત્ત્વો આવિર્ભાવ પામે છે અને
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy