SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પદર્શન માંડી પંચમહાભૂત સુધીનાં તત્ત્વો ઉત્પન્ન થાય છે, અને આ ત્રણ ગુણો મહતુ, અહંકાર, તન્માત્ર, ઇન્દ્રિય અને ભૂતો રૂપે પરિણમી પરમર્ષિ હિરણ્યગર્ભ વગેરેનું શરીર નિર્માણ કરે છે. સાંખ્ય પ્રમાણે ભૌતિક સર્ગના ત્રણ વિભાગ છે–દેવ, મનુષ્ય અને તિર્યક.' લિંગશરીર પૂર્વજન્માર્જિત કર્માનુસારે દેવતા, મનુષ્ય અને તિર્યક દેહ ધારણ કરે છે. આ ત્રિવિધ ભૌતિક સર્ગના ચૌદ વર્ગો છે : દેવસર્ગના આઠ, મનુષ્યસર્ગનો એક અને તિર્યસર્ગના પાંચ વર્ગો છે. દેવસર્ગના વર્ગો- (૧) બ્રહ્મલોકવાસી (૨) પ્રજાપત્યલોકવાસી (૩) ઇન્દ્રલોકવાસી (૪) પિતૃલોકવાસી, (૫) ગંધર્વલોકવાસી (૬) યક્ષલોકવાસી (૭) રાક્ષસવર્ગ અને (૮) પિશાચવર્ગ. આ ગણના વાચસ્પતિ અને માઠરને અભિમત છે. ગૌડપાદભાષ્યમાં પિતૃલોકવાસીના સ્થાને ચંદ્રલોકવાસીનો ઉલ્લેખ છે. યુક્તિદીપિકામાં યક્ષલોકવાસીના સ્થાને નાગલોકવાસીનો ઉલ્લેખ છે. સમાન રૂપ હોવાને કારણે યક્ષવર્ગનો રાક્ષસવર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુક્તિદીપિકાકાર જણાવે છે કે ઉન્નત સ્તરના જીવોનો પૂર્વોક્ત આઠ વર્ગોમાં સમાવેશ કરાયો છે; અવાન્તર વિભાગો કરવામાં આવ્યા નથી; ઉદાહરણાર્થ, અસુરવર્ગને ઇન્દ્રલોકવાસીવર્ગમાં સમાવ્યો છે. અસુરો પૂર્વે દેવતા હતા. આ જ રીતે સમાન સ્વભાવને કારણે કિન્નરવર્ગને અને વિદ્યાધરવર્ગને ગંધર્વલોકવાસીવર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, તેમ જ યમરૂપ અધિપતિ એક હોવાને કારણે પ્રેતવર્ગને પિતૃલોકવાસીમાં અંતર્ભત કરવામાં આવ્યો છે. બ્રહ્મથી માંડી પિશાચ સુધીનો આઠ પ્રકારનો દેવસર્ગ સત્ત્વબહુલ છે. તેમનામાં રજોગુણ અને તમોગુણ હોવા છતાં સત્ત્વગુણ પ્રધાનભાવે પ્રગટ થાય છે. એટલે તેઓ સુખી હોય છે. અલબત્ત, તેમનામાં સત્ત્વગુણનું તારતમ્ય હોય છે. પિશાચ કરતાં રાક્ષસમાં, રાક્ષસ કરતાં નાગમાં, નાગ કરતાં ગંધર્વમાં, ગંધર્વ કરતાં પિતૃઓમાં, પિતૃઓ કરતાં સ્વર્ગલોકવાસીમાં, સ્વર્ગલોકવાસી કરતાં પ્રાજાપત્યલોકવાસીમાં અને તેમના કરતાં બ્રહ્મલોકવાસીમાં સત્ત્વગુણ અધિક હોય છે.” મનુષ્યસર્ગનો એક જ વર્ગ છે. તેમના બ્રાહ્મણ વગેરરૂપે અવાન્તર ભેદો કરવામાં આવ્યા નથી કારણ કે બધાની આકૃતિ સમાન છે.'' મનુષ્યવર્ગમાં સત્ત્વગુણ અને તમોગુણ હોવા છતાં રજોગુણનું પ્રાબલ્ય હોય છે. રજોગુણનું ફળ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિનું ફળ ક્રિયાનુષ્ઠાન છે. એટલે મનુષ્યમાં દુઃખનું પ્રમાણ અધિક હોય છે.' - તિર્લફસર્ગના પાંચ વર્ગ છે.(૧) પશુ અર્થાત્ તૃણ ખાનાર પ્રાણીઓ, (૨) મૃગ અર્થાત્ માંસાહારી પ્રાણીઓ, (૩) પક્ષી, (૪) સરીસૃપ અર્થાત્ પગ અને પાંખ વિના ગતિ કરનારા જીવો; સાપ વગેરે, (૫) સ્થાવર અર્થાત્ તરુ, લતા, ગુલ્મ વગેરે. પશુ અને મૃગ વચ્ચેનો ભેદ સાંખ્યકારિકા કે યુક્તિદીપિકામાં જણાવ્યો નથી. પરંતુ સાંખ્યસંગ્રહમાં ગાયથી માંડી ઉદર સુધીના જીવોને પશુ ગણ્યા છે અને સિંહથી માંડી શિયાળ સુધીના જીવોને મૃગ ગણ્યા છે. આ ઉપરથી લાગે છે કે તૃણભોજી પ્રાણીઓને પશુ તરીકે અને માંસભક્ષી પ્રાણીઓને મૃગ તરીકે ગણ્યા હોય. એ બધાં નિમ્નલોકના
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy