SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શન ૧૨૪ તમોગુણપ્રધાન છે. પરિણામે તેમને તામસ અહંકારમાંથી ઉત્પન્ન થતાં નિરૂપ્યાં છે. પરન્તુ સત્ત્વગુણ અને તમોગુણમાં ક્રિયાશક્તિ નથી. ક્રિયાશક્તિ રજોગુણનો ધર્મ છે. કારણમાં ક્રિયાશક્તિ ન હોય તો કાર્ય ઉત્પન્ન ન થાય. એટલે, અહંકારની સાત્ત્વિક અવસ્થા હોય કે તામસિક બન્ને વખતે જ્યારે રાજસિક ભાવ અર્થાત્ ક્રિયાશક્તિનો સમાવેશ થાય ત્યારે જ ઇન્દ્રિયો અને પંચતત્પાત્રોની ઉત્પત્તિ થાય છે. આને લીધે ઈન્દ્રિયો અને તનાત્રો બંનેયની ઉત્પત્તિમાં રાજસ અહંકારને નિમિત્તકારણ ગયું છે. આ વાચસ્પતિનો મત છે. 'વિજ્ઞાનભિક્ષને મતે સત્ત્વ પ્રધાન અહંકારમાંથી મન ઉત્પન્ન થાય છે, કારણ કે અહંકારના કાર્યરૂપ ઇન્દ્રિયોમાં મન જ સાત્ત્વિક છે. રાજસ અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. તામસ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે પાંચ તન્માત્રી. વિજ્ઞાનભિક્ષુ સાંખ્યકારિકાગત “એકાદશક'નો અર્થ કરે છે “મન” અને ઉભય'નો અર્થ કરે છે “જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય'.' અહંકાર અભિમાનવૃત્તિવિશિષ્ટ અંતઃકરણદ્રવ્ય છે. તે કેવળ અભિમાન નથી, અભિમાન અહંકારની વૃત્તિમાત્ર છે. અહંકારને અભિમાન જ ગણતાં તે દ્રવ્યનું ઉપદાનકારણ બની શકે નહિ. દ્રવ્ય જ દ્રવ્યનું ઉપાદાનકારણ બની શકે. અહંકારમાંથી સકળ ભૂતોની ઉત્પત્તિ થાય છે. વળી, અહંકારને અભિમાન માત્ર ગણતાં સુષુપ્તિમાં અહંકારની વૃત્તિનો નાશ થવાને પરિણામે સકળ ભૂતોના નાશની આપત્તિ આવે. કારણનાશે કાર્યનાશ થવો જોઈએ. સુષુપ્તિકાળે વાસનાશ્રયરૂપ અહંકારનું અસ્તિત્વ હોય છે, વાસના ગુણવિશેષ છે. ગુણનો આશ્રય દ્રવ્ય જ હોઈ શકે. એટલે અહંકારને દ્રવ્ય તરીકે જ સ્વીકારવો જોઈએ.' યુક્તિદીપિકામાં અહંકારના સામાન્યરૂપ અને વિશેષરૂપનો નિર્દેશ છે. અહંભાવ તેનું સામાન્યરૂપ છે અને “શબ્દમાં હું છું “રૂપમાં હું છું વગેરે અહંકારનાં વિશેષ રૂપ છે." પાદટીપ १ अभिमानोऽहङ्कारः । सां० का० २४ । सां० त० को० २४ ।। २ सां० त० को० २५ । 3 प्रकाशलाघवाभ्यामेकादशक इन्द्रियगणः सात्त्विको वैकृतात् सात्त्विकादहकारात् प्रवर्तते । भूतादेस्तु अहङ्कारात् तामसात् तु तन्मात्रो गणः प्रवर्तते । कस्मात् ? यतः स तामसः । एतदुक्तं भवति - यद्येकोऽप्यहङ्कारस्तथापि गुणभेदोद्भवाभिभवाभ्यां भिन्नं कार्यं करोतीति ।... रजस्तु चलतया ते यदा चालयति तदा स्वस्वकार्य कुरुत इति तदुभयस्मिन्नपि कार्ये सत्त्वतमसोः क्रियोत्पादनद्वारेणास्ति रजसः कारणत्वमिति न व्यर्थ रज इति । सां० त० कौ० २५ ।
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy